ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. આનું ઉદાહરણ પાકિસ્તાનની સંસદમાં પણ જોવા મળ્યું. આજે સંસદમાં ચર્ચા દરમિયાન પાકિસ્તાની સાંસદ તાહિર ઇકબાલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ઇકબાલે કહ્યું "હે ખુદા આજે મને બચાવી લો." અમે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ આપણા દેશનું રક્ષણ કરે અને આપણને એક રાખે.'' તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવની ચરમસીમાએ છે. 'ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતે પાકિસ્તાનને તેની નાપાક પ્રવૃત્તિઓ માટે પાઠ ભણાવ્યો છે.
ગઈકાલે રાત્રે પણ પાકિસ્તાને ભારતના 15 શહેરોને નિશાન બનાવ્યા હતા. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ પાકિસ્તાને ડ્રોનથી હુમલો કર્યો અને મિસાઇલો છોડી પરંતુ ભારત પાકિસ્તાનના દરેક હુમલાનો જવાબ આપવા માટે તૈયાર હતું. પાકિસ્તાન તરફથી ભારતમાં અમૃતસર ,કપૂરથલા, જલંધર, લુધિયાણા, ભટિંડા, ચંદીગઢ, પઠાણકોટ પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો થયા છે. આ ઉપરાંત શ્રીનગર, અવંતિપોરા, આદમપુર, ફલોદી, ભૂજમાં પણ હુમલાના પ્રયાસો થયા હતા પરંતુ ભારતે પાકિસ્તાનની બધી મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી.
UNIMAGINABLE PUNISHMENT: They're broken. Pak MP begs General Munir, "save Pak from India". The MP is a former Army major. pic.twitter.com/wNROjhsOmJ
— Rahul Shivshankar (@RShivshankar) May 8, 2025
ભારતના હુમલામાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું
પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ કૃત્યના જવાબમાં આજે સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતે પાકિસ્તાનની જેમ જ વિસ્તારમાં અને એટલી જ તીવ્રતાથી જવાબ આપ્યો છે. લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરવામાં આવી છે.
ખ્વાજા આસિફના સૂર બદલાયા
ભારતના હુમલા બાદ પાકિસ્તાન ડરમાં છે. પહેલગામ હુમલા પછી સતત પરમાણુ હુમલાની ધમકીઓ આપતા પાકિસ્તાની નેતાઓનો બધો ઘમંડ શાંત થઈ ગયો છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે એક વિદેશી ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે અમે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.






