અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંલગ્ન અતુલ્ય હોસ્ટેટની મેસમાં બપોરના સમયે ડોક્ટરો અને અન્ય સ્ટાફ જમી રહ્યો હતો. તે સમયે જ ત્યાં એયર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન આવીને ઘુસી ગયું. હોસ્ટેલની દિવાલ સાથે અથડાતાની સાથે પેસેન્જર પ્લેન તૂટી પડ્યું. એક જ સેકન્ડમાં 242 મુસાફરોને લઈને અમદાવાદથી લંડન જતું એયર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન આગના ગોળામાં ફેરવાઈ ગયું. પ્લેનમાં સવાર મુસાફરોની સાથો સાથ હોસ્ટેલની મેસમાં હાજર અનેક લોકોના જીવ ગયા. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્ટેલની મેસમાં જમી રહેલાં 3 MBBS ડોક્ટરોનું મોત નીપજ્યું છે. જ્યારે આ ઉપરાંત મેસમાં હાજર 50થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે.






