Panchmahal News : પંચમહાલમાં ગૌ-તસ્કરી અને ગૌ-હત્યા જેવી ગંભીર ઘટનાઓને અટકાવવા માટે સ્મપેશિયલ પોલીસ સ્કવોડની રચનાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતના નિર્દેશ મુજબ જિલ્લામાં વિશેષ ગૌ-રક્ષા સ્કવોડની રચના કરવામાં આવી છે. આ સ્કવોડનો મુખ્ય હેતુ ગૌવંશ પર થતા અત્યાચારને રોકવો, ગેરકાયદેસર પશુ પરિવહન અટકાવવું અને ગૌ-હત્યાની ઘટનાઓ પર કડક નિયંત્રણ રાખવાનો છે.
8 પોલીસ કર્મચારીઓની ટીમ કરશે કાર્યવાહી!
નવા રચાયેલ ગૌ-રક્ષા સ્કવોડમાં 1 પી.એસ.આઈ., 1 હેડ કોન્સ્ટેબલ અને 6 પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરશે તથા ગૌ-તસ્કરી અને પશુ અત્યાચાર સંબંધિત માહિતી મળતાની સાથે જ અસરકારક પોલીસ કાર્યવાહી કરશે. ઉપરાંત સ્કવોડ દ્વારા ગૌવંશના કલ્યાણ, બચાવ અને પુનર્વસન માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે.
ગૌવંશની સુરક્ષા વધારે મજબૂત બનશે
પંચમહાલ પોલીસનું માનવું છે કે આ વિશેષ પુનર્વસન કાર્યરત થવાથી ગૌ-તસ્કરી અને ગૌ-હત્યા જેવા ગુનાઓમાં ઘટાડો થશે અને ગૌવંશની સુરક્ષા વધારે મજબૂત બનશે. જિલ્લાભરમાં ગૌ-રક્ષાનું નેટવર્ક મજબૂત બનાવવા માટે આ નિર્ણયને ખૂબ જ અગત્યનો અને અસરકારક માનવામાં આવી રહ્યો છે.






