Home International Pakistan Water War Warning Indus Water Treaty India Gujarati

સિંધુ જળ વિવાદ પર પાકિસ્તાનની યુદ્ધની ધમકી? : ભાજપનો આકરો પ્રહાર- 'દુનિયાના નકશા પરથી ભૂંસાઈ જશે પાકિસ્તાન'

Indus Water Treaty
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2026, 12:09 PM IST

Indus Water Treaty: દક્ષિણ એશિયામાં પાણીની રાજનીતિ હવે યુદ્ધની ધમકીઓ સુધી પહોંચી ચૂકી છે. આર્થિક તંગી અને આંતરિક સંકટોથી ઝઝૂમી રહેલા પાકિસ્તાને ભારતને હવે 'જળ યુદ્ધ' એટલે કે વોટર વોરની ખુલ્લી ધમકી આપી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સ્પષ્ટ કહ્યું છે કે જે ક્ષણે સિંધુ નદીના પાણી પર ખતરો મંડરાશે, પાકિસ્તાન યુદ્ધ શરૂ કરી દેશે. બીજી તરફ ભાજપે પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં સિંધુ જળ કરારને ફરીથી પુનઃસ્થાપિત કરવા અંગે પોતાનું જૂનું વલણ દોહરાવ્યું, જેના પછી પાકિસ્તાન ભડકેલું છે. પહેલા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટોએ આ અંગે ભારતને ધમકી આપી હતી અને હવે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને યુદ્ધની ધમકી આપી છે. ખ્વાજા આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન ભારે જળ સંકટનો સામનો કરી રહ્યું છે.

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : 52 પોલીસકર્મીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી

ખ્વાજા આસિફે શું કહ્યું?

શનિવારે વાતચીત કરતા ખ્વાજા આસિફે કહ્યું, 'જ્યારે અમને લાગશે કે અમારી રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં છે તો અમે ચોક્કસપણે ભારત સામે યુદ્ધ છેડી દઈશું. પાણી અમારી રાષ્ટ્રીય સુરક્ષાનો એક ભાગ છે.' તેમણે દાવો કર્યો કે જો ઈસ્લામાબાદને એવા પુરાવા મળશે કે ભારત પાણી પુરવઠાને અવરોધવા માટે ખતરનાક ઝડપથી કામ કરી રહ્યું છે, તો સૈન્ય કાર્યવાહી પર વિચાર કરવામાં આવશે.

પાકિસ્તાનમાં પાણીની અછત, દોષ ભારત પર

ખ્વાજા આસિફે પાકિસ્તાનમાં પાણીની અછતનો દોષ નવી દિલ્હી પર મઢવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ભારત પર 'પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો', ચિનાબ નદીના પ્રવાહમાં હેરાફેરી કરવાનો અને આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો. જોકે ખ્વાજાએ પોતે સ્વીકાર્યું પણ ખરું કે છેલ્લા એક વર્ષમાં બનેલી ઘટનાઓ વિશે તેમની પાસે કોઈ વર્તમાન માહિતી નથી. ઉલ્લેખનીય છે કે સિંધુ જળ કરાર સસ્પેન્ડ થયા બાદ પાકિસ્તાન ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. આશરે એક તૃતીયાંશ વસ્તી, ખાસ કરીને સિંધ અને બલૂચિસ્તાનમાં ગંભીર જળ સંકટથી પ્રભાવિત છે.

મહેસાણાનાં કડીમાં ભેંસ ચોરી અને કતલકાંડનો પર્દાફાશ : ફોર્ચ્યુનર ગાડી સાથે એક આરોપી ઝડપાયો, 3 ફરાર

પહેલગામ હુમલા બાદ ભારતે સસ્પેન્ડ કર્યો હતો કરાર

ગયા વર્ષે એપ્રિલમાં પાકિસ્તાને પહેલગામમાં આતંકી હુમલો કરાવ્યો હતો, જેમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ભારતે 1960ના સિંધુ જળ કરારને સસ્પેન્ડ (સ્થગિત) કરી દીધો હતો. આ મામલાને લઈને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સહિતના અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત સમક્ષ આજીજી કરી ચૂક્યું છે, પરંતુ ભારત પોતાના વલણ પર અડગ છે. નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે આ કરાર ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન પોતાની સરહદ પારની આતંકી પ્રવૃત્તિઓના માળખાને ખતમ કરવા માટે વિશ્વસનીય અને નક્કર પગલાં નહીં ભરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now