ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 5 વાગ્યા પછી યુદ્ધવિરામ લાગુ થયો અને થોડા કલાકો પછી પાકિસ્તાને તેનો ભંગ કર્યો. યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાને ફરી એકવાર ભારત પર હુમલો શરૂ કર્યો. તાજેતરમાં ગુજરાતની કચ્છ સરહદ પર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. કચ્છમાં અત્યાર સુધીમાં 8 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. જેમાંથી 3 ને તોડી પાડવાામાં આવ્યા છે. પાકિસ્તાને પોતાના હુમલામાં ગુજરાતને પણ નિશાન બનાવ્યું. કચ્છ-ભુજ અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન હુમલાના અહેવાલો હતા. કચ્છમાંથી એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન પણ મળી આવ્યું હતું જેને ભારતીય વાયુસેનાએ કબજે કર્યું હતું. અત્યાર સુધી કોઈ નાગરિક જાનહાનિ કે મોટા નુકસાનની પુષ્ટિ થઈ નથી.
ભારતીય સેના વતી કર્નલ સોફિયા કુરેશીએ આજે સવારે 10:30 વાગ્યે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર પંજાબના પઠાણકોટ આદમપુર અને ગુજરાતના ભૂજ એરબેઝ પર હાઇ-સ્પીડ મિસાઇલોથી હુમલો કર્યો હતો જેનાથી અમને નુકસાન થયું હતું. પાકિસ્તાને ભૂજમાં ડ્રોન હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. તે જ સમયે જામનગરમાં પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિઓના અહેવાલ મળ્યા છે.
સુરક્ષા દળોએ દરિયાકાંઠાના અને સરહદી વિસ્તારોમાં ખાસ કરીને હાલાર બીચ (પાકિસ્તાન સરહદની નજીક) પેટ્રોલિંગ અને દેખરેખ વધારી દીધી છે. જ્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ ક્ષેત્રમાં ચાલી રહેલા લશ્કરી કવાયતને કારણે 8 ફ્લાઇટ્સ (4 આગમન 4 પ્રસ્થાન) રદ કરવામાં આવી હતી. અહીં રાજકોટ એરપોર્ટથી નાગરિક ફ્લાઇટ્સ પણ 3 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.
યુદ્ધવિરામના થોડા કલાકો પછી જ પાકિસ્તાને બધી હદો પાર કરી દીધી અને ફરી ભારત પર હુમલો શરૂ કરી દીધો. તાજેતરમાં કચ્છ સરહદ પર હરામી નાળા અને ખાવડા નજીક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. યુદ્ધના મોરચે ઉભેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાતના તે તમામ સ્થળોએ જ્યાં બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી ત્યાં બ્લેકઆઉટના ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.






