પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂર પછી, ચીનના દૂતાવાસો દ્વારા ફ્રાન્સના રાફેલ જેટની વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ફ્રેન્ચ ગુપ્તચર અહેવાલ મુજબ, ઓપરેશન સિંદૂર પછી ચીને એક પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું જેના હેઠળ રાફેલ જેટના વેચાણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચીને પોતાના દૂતાવાસો દ્વારા તે દેશોને રાફેલ ખરીદવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો જેમણે ફ્રાન્સ પાસેથી આ જેટનો ઓર્ડર આપ્યો હતો અને તેના બદલે ચીની બનાવટના જેટ ખરીદવાનો આગ્રહ કર્યો હતો.
ચીનનો મનસૂબો પૂરો ન થયો!
ફ્રેન્ચ ગુપ્તચર અહેવાલ મુજબ, ચીની દૂતાવાસના સંરક્ષણ એટેચે દલીલ કરી હતી કે ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા રાફેલ વિમાન અસરકારક નથી. તેમણે અન્ય દેશોના સંરક્ષણ અધિકારીઓ સાથેની બેઠકમાં ચીની બનાવટના શસ્ત્રોના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું. ચીનના સદાબહાર મિત્ર પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના ત્રણ રાફેલ ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હતા. પરંતુ રાફેલ બનાવતી ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટ્રેપિયરે પાકિસ્તાનના આ દાવાઓને ખોટા ગણાવ્યા હતા.
ચીનના તમામ દાવોઓ ખોટા સાબિત થયા
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શાંગરી-લા ડાયલોગ દરમિયાન એક ઇન્ટરવ્યુ દરમિયાન રાફેલને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા સંઘર્ષ દરમિયાન ભારતે ફ્રેન્ચ બનાવટના રાફેલ જેટનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સનો દાવો છે કે પાકિસ્તાન અને તેના સાથી ચીને રાફેલની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું.






