Delhi-NCRમાં હજારો ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી કરનારા બિલ્ડરો સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું છે કે તેણે વિવિધ બિલ્ડરો અને નાણાકીય સંસ્થાઓના અજાણ્યા અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે.
47 સ્થળોએ દરોડા
CBIએ માહિતી આપી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરીને 47 સ્થળોએ દરોડા પણ પાડવામાં આવ્યા છે. NCRમાં ઘર ખરીદનારાઓને છેતરવા માટે બિલ્ડરો અને બેંકો વચ્ચેની મિલીભગત સંબંધિત મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ CBIએ આ કાર્યવાહી કરી છે.
22 કેસ નોંધ્યા
CBI દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર એજન્સીએ દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ વગેરેમાં 22 કેસ નોંધ્યા છે અને 47 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન દસ્તાવેજો, ડિજિટલ ઇલેક્ટ્રોનિક પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે.






