રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરના અધ્યક્ષસ્થાને તારીખ ૦૩ જુલાઈ ૨૦૨૫ના રોજ અમદાવાદમાં મહિલા જન સુનવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુરુવારે સવારે ૧૦:૦૦થી ૨:૦૦ કલાક દરમિયાન સ્ટેટ ગેસ્ટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે જન સુનવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોઇ પણ પીડિત મહિલા પોતાની ફરિયાદની રજૂઆત અધ્યક્ષ સમક્ષ રૂબરૂમાં કરી શકે તે મુજબની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વધુમાં વધુ મહિલાઓ ઉપસ્થિત રહે અને જન સુનવાઈનો લાભ લે તે અર્થે જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદ તરફથી સૌને અપીલ કરવામાં આવી છે.





