ભારે વરસાદનો સામનો કરી રહેલા સિક્કિમમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં લશ્કરી છાવણી પર ભૂસ્ખલન થવાથી ત્રણ સૈન્ય જવાનો શહીદ થયા છે અને 6 સૈનિકો ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે સાંજે 7 વાગ્યે મંગન જિલ્લાના લાચેન શહેર નજીક ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ભારે અને સતત વરસાદ પછી ભયાનક ભૂસ્ખલન થયું હતું જેમાં ત્રણ સૈનિકોના મોત થયા હતા. તેમની ઓળખ હવાલદાર લખવિંદર સિંહ લાન્સ નાયક મુનીશ ઠાકુર અને પોર્ટર અભિષેક લખડા તરીકે થઈ છે.
STORY | 3 army personnel dead, 6 soldiers missing as landslide hits military camp in Sikkim
— Press Trust of India (@PTI_News) June 2, 2025
READ: https://t.co/NO0I9BNeMw pic.twitter.com/Wn99V7a2nK
ગુમ થયેલા સૈન્ય કર્મચારીઓને શોધવામાં બચાવ ટીમ રોકાયેલી છે
અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સૈન્ય કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ચાર અન્ય સૈનિકોને નાની ઇજાઓ સાથે બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે છ ગુમ થયેલા કર્મચારીઓને શોધવા માટે બચાવ ટીમો પડકારજનક પરિસ્થિતિઓમાં ચોવીસ કલાક કામ કરી રહી છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે સેનાએ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તમામ જરૂરી સહાયની ખાતરી આપી છે.






