Home National Maharashtra Political History Party Splits Alliances Sharad Pawar Shivsena

જ્યારે શરદ પવારે ઇન્દિરા ગાંધી સામે કરી હતી બગાવત... : મહારાષ્ટ્રમાં પક્ષપલટાનો ઘણો લાંબો છે ઇતિહાસ

Maharashtra Political
Published by: OBS Bureau
Last Updated: Jun 19, 2026, 02:01 PM IST

Maharashtra Political: મહારાષ્ટ્રમાં આજકાલ જે કંઈ પણ થઈ રહ્યું છે તે આ રાજ્ય માટે કોઈ નવી વાત નથી. મહારાષ્ટ્રનો ઇતિહાસ રહ્યો છે કે અહીં ઘણી વખત પક્ષો તૂટ્યા છે અને નવી સરકારો બનાવવામાં આવી છે. અગાઉ આવું કોંગ્રેસ સાથે થતું હતું, હવે શિવસેના સાથે થઈ રહ્યું છે. સૌથી પહેલા 1969માં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કોંગ્રેસ પક્ષમાં ભંગાણ પડ્યું હતું અને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ (R) સાથે યશવંતરાવ ચવ્હાણ અને શરદ પવાર રહ્યા હતા.

પરંતુ, મહારાષ્ટ્ર કોંગ્રેસમાં અસલી ભંગાણ 1977માં ઇન્દિરા ગાંધીની ચૂંટણી હાર્યા બાદ થયું હતું, જેમાં ઇન્દિરા કોંગ્રેસને કોંગ્રેસ (I) કહેવામાં આવી અને બીજું જૂથ કોંગ્રેસ (U) બન્યું. ત્યારે શરદ પવાર પોતાના રાજકીય ગુરુ યશવંતરાવ ચવ્હાણ સાથે કોંગ્રેસ (U) માં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસના બંને જૂથો અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા, પરંતુ ચૂંટણી પછી જનતા પાર્ટીને સરકારથી દૂર રાખવા માટે તેઓ એક થઈ ગયા. વસંતદાદા પાટીલ મુખ્યમંત્રી બન્યા અને શરદ પવાર મંત્રી.

ઉકળવા લાગ્યો સમુદ્ર... 1982, 1997 અને 2015ના રેકોર્ડ પણ તૂટી જશે! : નવા ડેટાએ અલ નીનોને લઈને વધારી ચિંતા

કોંગ્રેસ તોડીને સીએમ બન્યા હતા શરદ પવાર

તે જ વર્ષે શરદ પવાર કોંગ્રેસ (U) થી અલગ થઈ ગયા અને જનતા પાર્ટી સાથે મળીને પીડીએફ (પ્ર્રોગ્રેસિવ ડેમોક્રેટિક એલાયન્સ) બનાવ્યું અને માત્ર 38 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા. જોકે, 1980માં ઇન્દિરા ગાંધીએ તેમની સરકાર બરખાસ્ત કરી દીધી હતી. 1987માં શરદ પવારની ફરી કોંગ્રેસમાં વાપસી થઈ, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ આ બધું શિવસેનાના પ્રભાવને રોકવા માટે કરી રહ્યા છે.

1999માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ફરી એકવાર તૂટી. શરદ પવારે સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે અલગ પક્ષ (NCP) બનાવ્યો, પરંતુ તે જ વર્ષે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને સત્તામાં આવતા રોકવા માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને ત્યારે વિલાસરાવ દેશમુખ મુખ્યમંત્રી બન્યા. 2004થી 2014 સુધી શરદ પવાર યુપીએ (UPA) નો હિસ્સો રહ્યા અને કેન્દ્રમાં મંત્રી પદે રહ્યા. હવે વાત કરીએ વર્ષ 1995ની, જ્યારે પ્રથમ વખત શિવસેના અને ભાજપની સરકાર બની હતી અને મનોહર જોશી મુખ્યમંત્રી તથા ગોપીનાથ મુંડે નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. આ સરકાર પણ અપક્ષો અને કેટલાક બળવાખોર ધારાસભ્યોની મદદથી બનાવવામાં આવી હતી.

SCનો ઐતિહાસિક ચુકાદો, "ફૂટપાથ પર ચાલવું નાગરિકોનો મૌલિક અધિકાર" : કેન્દ્ર સરકાર બનાવશે નવો કાયદો, નાગરિકોને મળશે સુરક્ષિત ફૂટપાથ

મહારાષ્ટ્રની રાજનીતિમાં અગાઉ પણ થયો હતો મોટો ડ્રામા

મહારાષ્ટ્રની રાજનીતિમાં 23 નવેમ્બર 2019ના રોજ એક ભૂકંપ આવ્યો જ્યારે રાતોરાત દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા. આ બધું એટલા માટે થયું કારણ કે વિધાનસભા ચૂંટણી પછી શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને વિવાદ થયો અને ગઠબંધન તૂટી ગયું. શિવસેના પોતાના મુખ્યમંત્રી બનાવવા માંગતી હતી અને ભાજપ આ માટે તૈયાર નહોતું. ભાજપે શરદ પવારની પાર્ટી એનસીપી (NCP) માં ગાબડું પાડ્યું અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું.

પરંતુ આ સરકાર માત્ર પાંચ દિવસ જ ટકી શકી કારણ કે શરદ પવાર એક્શનમાં આવ્યા અને શિવસેના, કોંગ્રેસ તથા એનસીપીને મેળવીને 'મહાવિકાસ અઘાડી' ગઠબંધન બનાવ્યું. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા અને અજિત પવાર ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રમાં થયેલા આ રાજકીય ઘટનાક્રમથી ભાજપ લાલચોળ હતું અને યોગ્ય તકની રાહ જોઈ રહ્યું હતું. જૂન 2022માં શિવસેનામાં ભંગાણ પડે છે અને એકનાથ શિંદે અલગ થઈ જાય છે. તેમની પાસે શિવસેનાના બે તૃતીયાંશ ધારાસભ્યો ઉપરાંત અપક્ષો મળીને કુલ 40 ધારાસભ્યો હતા. ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઈ અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા.

કર્ણાટકમાં BJP ધારાસભ્યોના ક્રોસ વોટિંગથી હાઈકમાન નારાજ : 3 દિગ્ગજ નેતાઓને દિલ્હી તેડાવ્યા; MLC ચૂંટણીમાં રમાઈ ગયો ખેલ!

મહારાષ્ટ્રમાં જુલાઈ 2023માં વધુ એક પક્ષમાં ભંગાણ થાય છે અને આ વખતે વારો શરદ પવારની એનસીપીનો હતો. અજિત પવાર એનસીપીના 53માંથી 41 ધારાસભ્યોને લઈને અલગ થઈ જાય છે અને એકનાથ શિંદે સરકારમાં સામેલ થઈને નાયબ મુખ્યમંત્રી બની જાય છે. પક્ષોમાં ભંગાણનો આ મામલો ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે, જ્યાં એકનાથ શિંદેના જૂથને અસલી શિવસેના અને અજિત પવારની પાર્ટીને અસલી એનસીપી જાહેર કરવામાં આવે છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના હાથમાંથી પક્ષનું નામ અને ચૂંટણી ચિહ્ન પણ સરકી જાય છે.

હવે વાત કરીએ વર્ષ 2026ની. 2024ની લોકસભા ચૂંટણી પછી ઉદ્ધવ સેનાના 9 સાંસદો જીતીને આવ્યા હતા, પરંતુ 2026 આવતા-આવતા અહીં ફરી એકવાર બગાવત થાય છે અને 6 સાંસદો અલગ થવાનો પત્ર લોકસભા અધ્યક્ષને સોંપે છે. દિલ્હીમાં સંસદીય દળની બેઠક બોલાવવામાં આવે છે જેમાં આ 6 સાંસદો ગેરહાજર રહે છે, અને એવું લાગે છે કે ઉદ્ધવની શિવસેનાને ફરી એકવાર તૂટતી રોકી શકાય તેમ નથી. મહારાષ્ટ્રમાં પક્ષોનું એકબીજા સામે ચૂંટણી લડવું, પછી મળીને સરકાર બનાવવી અને ત્યારબાદ પક્ષોને તોડવાની આ છે આખી કહાની.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now