Khushi Mukherjee on Suryakumar Yadav: અભિનેત્રી ખુશી મુખર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે એક ચોંકાવનારો દાવો કર્યો છે, જેનાથી ફેન્સમાં ચર્ચાનો વિષય બનવી ગયો છે. ખુશી મુખર્જીએ ખુલાસો કર્યો કે, સૂર્યકુમાર યાદવ તેને ખૂબ મેસેજ કરતા હતા. હાલના એક કાર્યક્રમમાં ખુશીએ ખુલાસો કર્યો કે, સૂર્યકુમાર યાદવ તેને વારંવાર મેસેજ કરતો હતો, પરંતુ હવે તેઓ વાત કરતા નથી. જ્યારે એક પત્રકારે તેને પૂછ્યું કે, શું તે કોઈ ક્રિકેટરને ડેટ કરવા ઈચ્છે છે, ત્યારે ખુશીએ જવાબ આપ્યો કે, તેને લિંક-અપ્સ પસંદ નથી. એક વીડિયોમાં, ખુશી મુખર્જીએ કહ્યું, "હું કોઈ ક્રિકેટરને ડેટ કરવા માંગતી નથી, મારા પછી ઘણા બધા ક્રિકેટરો છે. સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતા હતા. હવે અમે વધુ વાત કરતા નથી, અને હું તેની સાથે લિંક થવા માંગતી નથી. મને મારા વિશે કોઈ લિંક-અપ્સ પસંદ નથી." આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સુર્યકુમાર યાદવે શું જવાબ આપ્યો?
બીજી બાજુ, સૂર્યકુમાર યાદવે હજુ સુધી આ દાવાઓનો જવાબ આપ્યો નથી, સૂર્યકુમાર યાદવ અને તેમની પત્ની દેવીશા શેટ્ટીએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી અને વૈકુંઠ એકાદશી નિમિત્તે પ્રાર્થના કરી.





















