જાપાન સરકારે સોમવારે (31 માર્ચ) ભૂકંપ અને સુનામીની ચેતવણી જારી કરી છે જેણે સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે.
જાપાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પ્રશાંત મહાસાગરની નજીક વિનાશક ભૂકંપ આવી શકે છે, જેની તીવ્રતા એટલી વધારે હશે કે તેના દ્વારા પેદા થતી સુનામી અત્યંત જોખમી હશે. 3 લાખથી વધુ લોકોના મોતની આશંકા છે.
જાપાનમાં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવે તેવી શક્યતા છે. આ ભૂકંપ સેંકડો ઇમારતોને નષ્ટ કરી શકે છે અને સુનામીના રૂપમાં ગંભીર વિનાશ લાવી શકે છે. ગત વર્ષે પણ જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર જો જાપાન સરકારનો ડર સાચો સાબિત થાય છે, તો દેશને 1.81 ટ્રિલિયન ડોલર (270.3 ટ્રિલિયન યેન)નું વિશાળ આર્થિક નુકસાન થઈ શકે છે. આ આંકડો જાપાનના કુલ જીડીપીના અડધા જેટલો છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો આ ભૂકંપ અને સુનામી આવે છે, તો તે 12 લાખ 30 હજારથી વધુ લોકોને અસર કરશે, જે જાપાનની કુલ વસ્તીના લગભગ 10 ટકા છે.
જાપાન વિશ્વના સૌથી ભૂકંપગ્રસ્ત પ્રદેશોમાંનું એક છે. 8-9ની તીવ્રતાનો ભૂકંપ આવવાની 80% સંભાવના છે.
તે જાપાનના દક્ષિણપશ્ચિમ પ્રશાંત તટથી 900 કિમી સુધી ફેલાયેલું છે. અહીં, ફિલિપાઈન સી પ્લેટ યુરેશિયન પ્લેટની નીચે સરકી રહી છે, જે ટેકટોનિક તાણનું કારણ બને છે.
જાપાન સરકારની આ ચેતવણીને હળવાશથી ન લઈ શકાય. જો ભવિષ્યમાં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો તે દેશના લાખો લોકોના જીવન અને અર્થતંત્ર માટે વિનાશક સાબિત થઈ શકે છે.
વૈજ્ઞાનિકો અનુસાર, જાપાનમાં દર 100થી 150 વર્ષમાં મોટો ભૂકંપ આવે છે. 2011માં જાપાનમાં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે ભારે સુનામી આવી હતી જેમાં 15,000થી વધુ લોકો માર્યા ગયા હતા.





