પહેલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરો લશ્કર-એ-તૈયબાના હતા. આતંકવાદીઓ POKના રસ્તે ભારતમાં ઘૂસી બૈસરન ખીણમાં હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરી હતી.આ હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશલ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે.
પહેલગામ આતંકવાદી હુમલાના બે મહિના પછી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પહેલગામમાંથી 2 લોકોની ધરપકડ કરી છે. NIAની તપાસમાં ખુલાસો થયો છે કે આ બે લોકોએ હુમલો કરનારા 3 આતંકવાદીઓને આશરો આપ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓનું નામ પરવેઝ અહમદ જોઠાર અને બશીર અહમદ જોઠાર હોવાનું બહાર આવ્યું છે. બંન્નેએ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી અને પુષ્ટિ આપી કે તેઓ પાકિસ્તાની નાગરિક છે. અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે.





