Home International Humari Khopdi Sanak Gayi Toh Mithun Chakraborty Tsunami Warning To Bilawal Bhutto War Threat To India

"અમે એવો બંધ બનાવવાનું પણ વિચાર્યું છે કે...'' : મિથુન ચક્રવર્તી બિલાવલ ભુટ્ટો પર થયા બરાબરના ગુસ્સે

"અમે એવો બંધ બનાવવાનું પણ વિચાર્યું છે કે...''
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 08:48 AM IST

અભિનેતામાંથી રાજકારણી બનેલા ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે જો આમારૂ મગજ ખરાબ થઈ ગયું તો બ્રહ્મોસ એક પછી એક છોડવામાં આવશે. તેઓ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય લશ્કરી દળોની હિંમતભરી કાર્યવાહીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. બિલાવલ ભુટ્ટોની ધમકી સામે આવી હતી કે જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો યુદ્ધ ફાટી નીકળશે ત્યારે મિથુન ચક્રવર્તીએ સિંધુ જળ સંધિમાં ફેરફારો અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાનની ભારતને નવી ચેતવણીની આકરી ટીકા કરી હતી.


''...અમે બંધ ખોલીશું, અને સુનામી આવશે"

પાકિસ્તાન પર કટાક્ષભરી ટિપ્પણી કરતા તેમણે આગળ કહ્યું, "અમે એવો બંધ બનાવવાનું પણ વિચાર્યું છે જ્યાં 140 કરોડ લોકો પેશાબ કરશે, તે પછી, અમે બંધ ખોલીશું, અને સુનામી આવશે" તેમણે કહ્યું કે મને પાકિસ્તાનના લોકો સાથે કોઈ વાંધો નથી. મેં આ બધું તેમના (બિલાવલ ભુટ્ટો) માટે કહ્યું છે''.


સિંધુ જળ સંધિને સ્થગિત કરવી એ આપણી સંસ્કૃતિ પર હુમલો: બિલાવલ

સિંધ સરકારના સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, બિલાવલ ભુટ્ટોએ સોમવારે દાવો કર્યો હતો કે ''સિંધુ નદીનું પાણી પાકિસ્તાનથી દૂર વાળવું એ દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતા પર હુમલો છે'', બિલાવલે કહ્યું, "જો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિંધુ નદી પર હુમલો કરવાની જાહેરાત કરે છે, તો તે આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા પર હુમલો કરે છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી