Home Gujarat Gujarats Historic Decision For Water Conservation Under Catch The Rain

કેચ ધ રેઈન અંતર્ગત જળસંગ્રહ માટે ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય! : વરસાદી પાણીના સંગ્રહ માટે બનાસકાંઠામાં 50 હજાર રિચાર્જ કૂવા બનશે, 25 હજાર બનાસ ડેરી બનાવશે

કેચ ધ રેઈન અંતર્ગત જળસંગ્રહ માટે ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય!
Published by: OBS Bureau
Last Updated: May 30, 2025, 08:14 AM IST

Catch The Rain: આજે કેચ ધ રેઈન મિશન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલાં ચોડુંગરીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત 50 હજાર રિચાર્જ કૂવાના નિર્માણનો આજથી પ્રારંભ થયો છે. દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અભિયાનને લીલીઝંડી આપી છે.

પીએમ મોદીએ દેશભરમાં કેચ ધ રેઈન મિશન હાથ ધરવા આહવાન કર્યું છે. જેને પગલે ગુજરાતે આ દિશામાં પહેલ કરી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવવાનો છે. આ પ્રોજેક્ટમાં 50 હજાર રિચાર્જ કૂવા પૈકી 25 હજાર રિચાર્જ કૂવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now