Home Gujarat Gujarat Weather Forecast Heavy Rain Alert

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને રેડ એલર્ટ, માવઠાનો રહેશે માર : હજુ કેટલા દિવસ ગુજરાતમાં પડશે ધોધમાર?

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને રેડ એલર્ટ, માવઠાનો રહેશે માર
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 05:13 AM IST

રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક પડેલા વરસાદે પરિસ્થિતિ મુશ્કેલ બનાવી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેતીને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અચાનક વરસતા વરસાદે સામાન્ય જનજીવનને અસર કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 ઓક્ટોબર સુધી ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે આગામી કેટલાક દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 2 નવેમ્બર સુધી હળવા વરસાદની પરિસ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વિભાગે વધુમાં જણાવ્યું છે કે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવા અનુરોધ છે. દરિયાકાંઠા પર હવામાન અસ્થિર રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી ચાર દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

તાપમાનમાં ઘટાડો પછી વધારો થવાની શક્યતા

હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આવતા 24 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, જ્યારે ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. આબોહવાની આ અચાનક ફેરફારને કારણે ઠંડકનો અહેસાસ વધ્યો છે.

વિસ્તારવાર આગાહી અને એલર્ટ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ તાજા વેધર મેપ મુજબ,
28 ઓક્ટોબરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.

29 ઓક્ટોબરે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધુ છે.
30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની તીવ્રતા ફરી વધવાની સંભાવના છે, ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
31 ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત અને નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચાલુ વરસાદને કારણે ખેતી અને પાકને નુકસાન થવાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગે ખેડૂતોને પાકને સુરક્ષિત રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ