Home Gujarat Gujarat News Governor Acharya Devvratji Hoisted The National Flag

India 79th independence day ; હર ઘર તિરંગા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવનમાં ત્રિરંગો લહેરાવ્યો

India 79th independence day ; હર ઘર તિરંગા
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 05:17 PM IST

india 79th independence day: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રાજભવન સ્થિત તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ત્રિરંગો ફક્ત ધ્વજ નહીં, પરંતુ આપણા સ્વતંત્રતા સંગ્રામ, બહાદુરોના બલિદાન અને રાષ્ટ્રીય એકતાનું અમર પ્રતીક છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે 'હર ઘર તિરંગા' અભિયાન એક જન આંદોલન બની ગયું છે. આ અભિયાન દરેક નાગરિકને રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ, એકતા અને જવાબદારીનો સંદેશ આપે છે.

રાજ્યપાલે રાજ્યના નાગરિકોને આ સ્વતંત્રતા દિવસ પર તેમના ઘરો, સંસ્થાઓ અને કાર્યસ્થળો પર ત્રિરંગો ફરકાવવા અને દેશની આન, બાન અને શાનનું ગૌરવ લેવા અપીલ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now