ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ (GAD) દ્વારા તારીખ 5 ડિસેમ્બર 2025 ના રોજ વિવિધ જાહેરનામા બહાર પાડીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના અંગત સ્ટાફ (PS, અધિક PS, PA અને OSD) ની નિમણૂક કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્ટાફ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયમાં મહત્વની નિમણૂકો કરવામાં આવી છે:
અંગત સચિવ (PS): એન.એ. રાજપુત (અધિક કલેક્ટર).
અધિક અંગત સચિવ: વેદાંત જોષી (ઉપસચિવ, ગૃહ વિભાગ).
અંગત મદદનીશ (PA): કુંજન પટેલ અને મૌલિક દેસાઈ.
નાણામંત્રીના કાર્યાલયમાં OSDની નિમણૂક
નાણામંત્રી કનુ દેસાઈના કાર્યાલયમાં નિયમિત સ્ટાફ ઉપરાંત એક વિશેષ જગ્યા ઉભી કરવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર ટાઉન પ્લાનર રાજન મોરબીયાની 'ખાસ ફરજ પરના અધિકારી' (OSD) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કેબિનેટ મંત્રીઓના અંગત સ્ટાફની યાદી
વિવિધ કેબિનેટ મંત્રીઓના કાર્યાલયમાં નીચે મુજબના અધિકારીઓને નિયુક્ત કરાયા છે:
કનુ દેસાઈ: એમ.સી. શાહ (PS) અને મોતીભાઈ રબારી (અધિક PS).
જીતુ વાઘાણી: હિરેન ઠાકર (PS) અને હર્ષિત પટેલ (અધિક PS).
ઋષિકેશ પટેલ: કૌશિક ત્રિવેદી (PS) અને કૃતિ આર. નાયક (અધિક PS).
કુંવરજી બાવળિયા: જે.બી. વદર (PS) અને આશિષ મિત્રા (અધિક PS).
નરેશ પટેલ: બી.બી. મોડીયા (PS) અને ચિંતન ચૌધરી (અધિક PS).
અર્જુન મોઢવાડીયા: હરેન્દ્રસિંહ પરમાર (PS) અને પરેશ ખોખર (અધિક PS).
પ્રદ્યુમન વાજા: વી.સી. બોડાણા (PS) અને અંકુર ઉપાધ્યાય (અધિક PS).
રમણ સોલંકી: આઈ.એચ. પંચાલ (PS) અને નિયત પટેલ (અધિક PS).
રાજ્યકક્ષાના મંત્રીઓ અને રિવાબા જાડેજાનો સ્ટાફ
રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં થયેલી મહત્વની નિમણૂકો નીચે મુજબ છે:
રિવાબા જાડેજા: રીટા જે. પટેલ (PS) અને તુષાર મહેતા (PA).
પ્રફુલ પાનસેરીયા: જે.એમ. વેગડા (PS).
ઈશ્વરસિંહ પટેલ: ચેતન ગણાત્રા (PS) અને કમલેશ ચાવડા (PA).
મનિષા વકીલ: પલક વિનોદભાઈ મડીયા (PS) અને હરેશ ધુળિયા (PA).
પરષોત્તમ સોલંકી: એન.એન. ચાવડા (PS) અને રાજેન્દ્ર સોઢા (PA).
કાંતિલાલ અમૃતિયા: રૂતુરાજ જાદવ (PS) અને નિખિલ કુબાજી (PA).
રમેશ કટારા: ભરત કે. પટેલ (PS) અને ભરત જોષી (PA).
દર્શના વાઘેલા: એન.આર. ધાંધલ (PS) અને સચિન કડીયા (PA).
કૌશિક વેકરીયા: નૈમેષ પટેલ (PS) અને કૃણાલ હિંગુ (PA).
પ્રવિણ માળી: એસ.ડી. ગીલવા (PS) અને કશ્યપ રોય (PA).
જયરામ ગામીત: બી.એન. ખેર (PS) અને નિલેશકુમાર આર. ડામોર (PA).
ત્રિકમ છાંગા: કલ્પેશ આર. ભટ્ટ (PS) અને રજનિકાંત પ્રજાપતિ (PA).
કમલેશ પટેલ: કે.જી. ચૌધરી (PS) અને જિતેન્દ્રસિંહ ઝાલા (PA).
સંજયસિંહ મહીડા: વી.કે. જોષી (PS) અને પ્રકાશ મોદી (PA).
પૂનમચંદ બરંડા: એ.એમ. કણસાગરા (PS) અને સાગર પલસાણા (PA).
સ્વરૂપજી ઠાકોર: રોહિત ડી. અઘારા (PS) અને ગોપાલ માંગુકીયા (PA).
નિવૃત્ત અધિકારીઓની કરાર આધારિત નિમણૂક:
બે નિવૃત્ત અધિકારીઓને કરાર આધારિત નિમણૂક આપવામાં આવી છે:
એ.પી. મકવાણા (નિવૃત્ત નાયબ સચિવ): મંત્રી પ્રદ્યુમન વાજાના અધિક અંગત સચિવ તરીકે.
વિપુલ કે. મહેતા (નિવૃત્ત અધિક કલેક્ટર): મંત્રી પ્રફુલ પાનસેરીયાના અંગત સચિવ તરીકે.
વહિવટી પ્રક્રિયા
સરકારે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જે અધિકારીઓ 17/10/2025ના રોજ ફરજમુક્ત થયા હતા અને હવે નવી નિમણૂક પામ્યા છે, તેમના માટે 17/10/2025 થી 05/12/2025 સુધીનો સમયગાળો 'ફરજિયાત પ્રતિક્ષા સમય' (Duty Period) ગણવામાં આવશે.






