Home Gujarat Gujarat Congress Agitation Against Ed

રાહુલ ગાંધીએ આપેલા લેસનની અસર : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતાઓ રસ્તા પર દેખાયા, પણ અસર ક્યાં સુધી રહેશે?

રાહુલ ગાંધીએ આપેલા લેસનની અસર
Published by: OBS Bureau
Last Updated: Apr 16, 2025, 04:26 PM IST

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. જેનાં વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા.

અમદાવાદનાં માનવ મંદિર સ્થિત ED ઓફિસ ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓએ અને કાર્યકર્તાઓએ બેનરો દેખાડી વિરોધ કર્યો. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો કે ઈડી અને સીબીઆઈ સરકારનો હાથો બનીને કામ કરી રહી છે.

વિરોધ પ્રદર્શનનાં થોડા સમયમાં જ પોલીસ ઘટનાસ્થળેથી કોંગ્રેસનાં નેતાઓને ટીંગાટોળી કરીને લઈ ગઇ હતી, અને પ્રદર્શન સમેટાઈ ગયુ હતું.

નોંધનીય છે કે રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસ બાદ પ્રદેશ કોંગ્રેસમાં હલચલ મચી છે. અત્યાર સુધી નિષ્ક્રિય રહેલા નેતાઓને સાઈડ કરવાના રાહુલ ગાંધીનાં સંકેત બાદ હોદ્દો ભોગવતા નેતાઓ પોતે કેટલા એક્ટિવ છે, તે દર્શાવવા પ્રયાસરત છે. અમદાવાદ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં એ જ જોવા મળ્યું, જ્યાં કાર્યકર્તાઓ કરતા હોદ્દેદારોની સંખ્યા વધારે જોવા મળી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now