Home Gujarat Grand Celebration Of Pramukhvarani Amrit Mahotsav In Ahmedabad

અમદાવાદમાં 7 ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી : પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીના 75 વર્ષ નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે ઐતહાસિક સમારોહ

અમદાવાદમાં 7 ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 08:06 AM IST

Pramukhvarani Amrit Mahotsav: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખવરણીના 75 વર્ષ (પ્લેટિનમ જ્યુબિલી) નિમિત્તે આયોજિત ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’નો ચરમસીમા રૂપ મુખ્ય સમારોહ આગામી 7 ડિસેમ્બર 2025, રવિવારના રોજ સાંજે 5:30 થી 8:30 સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય રીતે યોજાશે. આ અવસરે પરમ પ્રમુખસ્વામી મહારાજના 104મા જન્મદિને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભાવભીની ભાવાંજલિ. અર્પણ કરવામાં આવશે. અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં તેમના દિવ્ય ગુણો અને અવિસ્મરણીય પ્રદાનને યાદ કરાવતાં ઘણાં અલંકૃત ફ્લોટ્સ તરતાં દેખાશે, જે દૃશ્યો અવિસ્મરણીય બની રહેશે.

વિશેષ મહેમાનો

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ (બી.એ.પી.એસ.ના વર્તમાન આધ્યાત્મિક વડા)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી

અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ તથા મહાનુભાવો

ઐતિહાસિક પ્રસંગનું મહત્વ

21 મે, 1950ના રોજ અમદાવાદની આંબલીવાળી પોળમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે માત્ર 28 વર્ષની ઉંમરે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને સંસ્થાના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. તે જ દિવસે તેમણે વિનમ્રતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી: “મારા દેહની પરવા કર્યા વિના હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતકૃત્ય બનીશ.”આ પ્રતિજ્ઞાને તેમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી સાકાર કરી બતાવી. તેમના પુરુષાર્થથી આજે બી.એ.પી.એસ. વિશ્વનું સૌથી મોટું હિન્દુ આધ્યાત્મિક-સામાજિક સંગઠન બન્યું છે.

કાર્યક્રમની વિશેષતા

500થી વધુ સ્વયંસેવકો છેલ્લા બે મહિનાથી સેવારત

40,000થી વધુ ભક્તો માટે વિશેષ બેઠક વ્યવસ્થા (સંપૂર્ણ આરક્ષિત)

વાહન પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે પૂર્ણ તૈયારી

જે ભક્તો સ્થળ પર ન આવી શકે તેઓ આસ્થા ભજન ચેનલ, live.baps.org તથા બી.એ.પી.એસ.ના અન્ય પ્રસારણ માધ્યમો દ્વારા ઘરે બેઠાં આ અભૂતપૂર્વ કાર્યક્રમનો લાભ લઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now