NPS tax benefits extends new unified pension scheme: કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના હિતમાં એક મોટો અને રાહતદાયક નિર્ણય લીધો છે. હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરનારા કર્મચારીઓને પણ એ જ કર લાભો મળશે જે અત્યાર સુધી ફક્ત NPS હેઠળ મળતા હતા. સરકારે હવે આ વિકલ્પ પસંદ કરવાની અંતિમ તારીખ 30 જૂનથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવી છે. આ વધારો હાલના કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને મૃત પેન્શનરોના જીવનસાથીઓને આપવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના આ પગલાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજના વધુ સારી બનશે.
યોજનાનો હેતુ
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં 1 એપ્રિલ, 2025થી નિફાઇડ પેન્શન યોજના કેન્દ્ર સરકારની સિવિલ સેવાઓમાં જોડાનારાઓ માટે NPS હેઠળ એક વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી. UPS હેઠળ કેન્દ્ર સરકાર કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 18.5% ફાળો આપે છે. કર્મચારીએ 10% ફાળો આપવો પડશે. આ યોજનાનો હેતુ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન આપવાનો છે. જે NPS કરતાં વધુ સ્થિર અને પરંપરાગત લાભ આધારિત માનવામાં આવે છે.
NPSથી UPSમાં સ્વિચ કરવાની તક
હાલમાં NPS હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓને એક વખતનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેના હેઠળ તેઓ UPS પસંદ કરી શકે છે. જો કે, આ સ્વિચ ફરજિયાત નથી, પરંતુ સ્વૈચ્છિક છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, UPS પસંદ કરનારા કર્મચારીઓને હવે TDS મુક્તિ અને અન્ય તમામ કર લાભો પણ મળશે, જે અત્યાર સુધી ફક્ત NPS હેઠળ આપવામાં આવતા હતા. આ નિર્ણય બે પેન્શન યોજનાઓ વચ્ચે સમાનતા સ્થાપિત કરે છે.
આ તક ફક્ત એક જ વાર ઉપલબ્ધ થશે
કર્મચારીઓ માટે શું જાણવું મહત્વપૂર્ણ છે જો તમે NPS હેઠળ છો અને UPS માં સ્વિચ કરવા માંગો છો, તો આ તક ફક્ત એક જ વાર ઉપલબ્ધ થશે. 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં તમારો વિકલ્પ પસંદ કરવો ફરજિયાત છે. UPS એક નિશ્ચિત પેન્શન યોજના છે, જેમાં સરકાર વધુ યોગદાન આપે છે. હવે UPS પર પણ તે જ કર મુક્તિ ઉપલબ્ધ થશે, જે NPS માં ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારના આ પગલાથી એવા કર્મચારીઓને ખાસ રાહત મળી છે જેઓ નિવૃત્તિ પછી વધુ સ્થિરતા અને ખાતરીપૂર્વક પેન્શન શોધી રહ્યા છે. હવે કર્મચારીઓને સારી રીતે વિચારીને નિર્ણય લેવા માટે વધુ સમય અને વિકલ્પો મળશે.





















