Ahmedabad Ramol Accident : અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા વડું તળાવ પાસે શ્રમિકોના છાપરામાં એક ફોર વ્હીલર ચાલકે ગાડી ઘૂસાડી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અચાનક બનેલા આ અકસ્માતમાં છાપરામાં રહેલા શ્રમિકોને ઇજા પહોંચી હતી. ઘટનામાં કુલ પાંચ લોકોને ઈજાઓ થતાં તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ફોર વ્હીલર છાપરામાં ઘૂસી
અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ફોર વ્હીલર કેવી રીતે છાપરામાં ઘૂસી ગઈ અને અકસ્માત પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર આપવામાં આવી રહી છે અને તેમની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.
વિસ્તારમાં અફરાતફરી મચી હતી
આ અકસ્માતથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.






