ફાસ્ટેગના નવા નિયમો સોમવારથી અમલમાં આવી ગયા છે. જે હેઠળ, ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ અને પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ ધરાવતા યુઝર્સને વધારાનો દંડ ફટાકારવામાં આવશે . આ નિયમ લાગુ કરવા પાછળનો હેતુ ફાસ્ટેગની સમસ્યાને કારણે ટોલ પર વાહનોની લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરીને અનુકૂળ બનાવવાનો છે.
કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને માર્ગ પરિવહન મંત્રાલયે ટોલ પેમેન્ટને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને સ્કેમ પર અંકુશ મુકવાના હેતુથી ફાસ્ટેગ ઈકોસિસ્ટમમાં કેટલાક ફેરફારો કર્યા છે.
શું છે નવા નિયમો?
નવા નિયમો હેઠળ, જો વાહન ટોલ પ્લાઝાને પાર કરતા પહેલા 60 મિનિટથી વધુ સમય સુધી ફાસ્ટેગ નિષ્ક્રિય રહે છે અને ટોલને પાર કર્યાના 10 મિનિટ પછી, વ્યવહાર નકારવામાં આવશે. સિસ્ટમ 'એરર કોડ 176 "લખીને આવી પેમેન્ટને નકારી કાઢશે.
વધુમાં, ટોલ પેમેન્ટને સરળ બનાવવા અને વિવાદોને ઘટાડવા માટે ચાર્જબેક પ્રક્રિયા અને કૂલિંગ પિરિયડ સાથે ટ્રાન્ઝેક્શન ડિનાયલ નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
નવી માર્ગદર્શિકા અનુસાર, જો વાહન ટોલ રીડરમાંથી પસાર થયા પછી 15 મિનિટથી વધુ સમયમાં ટોલ પેમેન્ટ કરવામાં આવે છે તો ફાસ્ટેગ યુઝર્સને વધારાની ફી ચૂકવવી પડી શકે છે.
અપડેટેડ નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ પણ પેમેન્ટમાં વિલંબ થાય છે અને યુઝરના ફાસ્ટેગ ખાતામાં ઓછું બેલેન્સ હોય તો ટોલ ઓપરેટરને જવાબદાર ગણવામાં આવશે.
અગાઉ, યુઝરે ટોલ બૂથ પર જ ફાસ્ટેગ રિચાર્જ કરીને આગળ વધી શકતા હતા. નવા નિયમ બાદ હવે યૂઝર્સે પહેલા ફાસ્ટેગ રિચાર્જ કરવું પડશે.
NPCIના તાજેતરના આંકડા અનુસાર, ડિસેમ્બરમાં ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 6 ટકા વધીને 38.2 કરોડ થઈ છે, જે નવેમ્બરમાં 35.9 કરોડ હતી. તે જ સમયે, ફાસ્ટેગ વ્યવહારોનું મૂલ્ય 9 ટકા વધીને 6,642 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે નવેમ્બરમાં 6,070 કરોડ રૂપિયા હતું.




















