દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન લેન્ડિંગ પહેલાં લગભગ 17 મિનિટ સુધી હવામાં ફરતું રહ્યું. આ બાબતે હજુ સુધી કોઈ વધુ માહિતી બહાર આવી નથી.
અગાઉ 12 જૂને અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ AI-171 ફ્લાઇટ ટેકઓફ થયાના માત્ર 32 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આમાં 270 લોકોનાં મોત થયાં હતાં. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુલાઈએ અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે બંને એન્જિન ફેલ થવાને કારણે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું.






