Home National El Nino Pacific Ocean Nasa Warning India Monsoon Threat

પેસિફિક મહાસાગરમાં સક્રિય થઈ રહ્યું છે ખતરનાક એલ નીનો? : NASAના સંકેત બાદ ગુજરાત સહિત ભારતના ચોમાસા અંગે ચિંતા વધી!

El Nino Impact on India
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2026, 01:53 PM IST

El Nino Impact on India: સમગ્ર વિશ્વના હવામાનમાં મોટો ફેરફાર લાવનારી કુદરતી ઘટના 'અલ નીનો' (El Nino) ફરી એકવાર સક્રિય થઈ રહી છે, જે ભારત સહિત સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે. પ્રશાંત મહાસાગરમાં એક ખૂબ જ શક્તિશાળી અલ નીનો બનવાની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ છે. અમેરિકાની પ્રતિષ્ઠિત અંતરિક્ષ એજન્સી નાસા (NASA)ના સેટેલાઇટે સમુદ્રની સપાટી પર નોંધાયેલા અસાધારણ તાપમાનના આધારે એક ડરામણી આગાહી કરી છે.

IAFના નવા દસ્તાવેજમાં શું ખુલ્યું? : ભારતીય વાયુસેનાના લેટેસ્ટ દસ્તાવેજોમાં 'ઓપરેશન સિંદૂર' નો મોટો ખુલાસો

સેટેલાઇટ ડેટાએ વધારી ચિંતા: સમુદ્રની સપાટી કેમ વધી?

નાસાના અત્યાધુનિક સેટેલાઇટ 'સેન્ટિનલ-6 માઇકલ ફ્રેલિચ' (Sentinel-6 Michael Freilich) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, વિષુવવૃત્ત (Equator) નજીક પ્રશાંત મહાસાગરનું સ્તર સામાન્ય કરતાં ઘણું ઊંચું નોંધાયું છે. વિજ્ઞાનના નિયમ મુજબ, ગરમ પાણી ફેલાય છે અને તેની સપાટી ઉપર આવે છે. આ ઊંચું સ્તર એ વાતનો પુરાવો છે કે સમુદ્રના પેટાળમાં મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે. અમેરિકાની હવામાન અને સમુદ્ર સાથે જોડાયેલી સંસ્થા NOAAએ પણ સત્તાવાર રીતે અલ નીનોની શરૂઆતની પુષ્ટિ કરી દીધી છે. નાસાની લેબોરેટરી દ્વારા જારી કરાયેલા નકશામાં (જેમાં 8 જૂનની સ્થિતિ દર્શાવી છે) લાલ રંગના વિસ્તારો સ્પષ્ટપણે દર્શાવે છે કે ક્યાં સમુદ્રનું સ્તર ખતરનાક રીતે ઊંચું છે.

શું 1997ના 'ગોડઝિલા અલ નીનો' જેવો ખતરો છે?

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ પ્રશાંત મહાસાગરની વર્તમાન સ્થિતિ વર્ષ 1997ની યાદ અપાવે છે. 1997માં પૃથ્વીએ એક અત્યંત વિનાશક અલ નીનોનો સામનો કર્યો હતો, જેને ઇતિહાસમાં 'ગોડઝિલા અલ નીનો' નામ આપવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોને ડર છે કે આ નવો અલ નીનો સતત મજબૂત થઈ રહ્યો છે અને તે છેલ્લા 150 વર્ષોના સૌથી શક્તિશાળી અલ નીનોમાં સ્થાન મેળવી શકે છે.

TMC નેતાના ઘરે મધરાતે પોલીસ રેડ, 3 કિલો સોનું જપ્ત : સબ્યસાચી દત્તાની પૂછપરછમાં થયો સનસનાટીપૂર્ણ ખુલાસો

અલ નીનો એટલે શું?

જ્યારે પ્રશાંત મહાસાગરના કેટલાક ભાગોમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધી જાય છે, ત્યારે તે પ્રક્રિયાને 'અલ નીનો' કહેવામાં આવે છે. આ ઘટના વૈશ્વિક સ્તરે પવનની દિશા અને વરસાદની આખી પેટર્નને બદલી નાખે છે.

ભારત અને વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે?

આ આબોહવા પરિવર્તનની અસર માત્ર સમુદ્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની સીધી અસર માનવજીવન પર પડશે. અલ નીનોના કારણે ભારતમાં ચોમાસું નબળું પડવાની ભારે આશંકા છે. જો દેશમાં પૂરતો વરસાદ નહીં થાય, તો કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડશે. ગ્લોબલ વોર્મિંગની સાથે અલ નીનો ભળતાં આગામી સમયમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે. ભારત અત્યારે આશરે $4 ટ્રિલિયન (40 લાખ કરોડ ડોલર) ની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે.

‘આ અરાજક તત્વોની B ટીમ’ : કોકરોચ જનતા પાર્ટી પર પહેલીવાર આવ્યું ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન

આપણું અર્થતંત્ર મોટાભાગે કૃષિ અને ગ્રામીણ વપરાશ પર નિર્ભર હોવાથી, નબળું ચોમાસું દેશના જીડીપી (GDP) ગ્રોથને ધીમો પાડી શકે છે અને મોંઘવારી વધારી શકે છે. હવામાન સંગઠનોએ ચેતવણી આપી છે કે આગામી મહિનાઓ વૈશ્વિક પર્યાવરણ અને અર્થતંત્ર માટે અત્યંત નાજુક સાબિત થઈ શકે છે, જેના માટે ભારતે અત્યારથી જ આગોતરા પગલાં લેવા પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now