Home Gujarat Ahmedabad Dhandhuka Murder Case 2 Day Remand Accused

ધંધુકાના યુવકને રહેંસી નાખનારની ટાંટિયાતોડ સર્વિસ! : કોર્ટે બંને આરોપીના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Dhandhuka Case
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 20, 2026, 03:05 PM IST

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં બનેલી ધર્મેશ ગમારાની કરપીણ હત્યાના મામલે કાયદાકીય કાર્યવાહી તેજ બની છે. આ કેસના મુખ્ય બે આરોપીઓ, રિઝવાન અને સમીર, જેમને પોલીસે અગાઉ ઝડપી પાડ્યા હતા, તેમને આજે ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી

પોલીસ તપાસમાં આ હત્યા પાછળનું ઊંડું ષડયંત્ર અને અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે તપાસ અધિકારીઓ દ્વારા નામદાર કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે ગુનાની ગંભીરતા અને પ્રાથમિક તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાલ બે દિવસ (48 કલાક) માટે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: જાણો શું છે કાજલ મહેરિયા વિવાદ? : "મારી દીકરી આવા છોકરા સાથે લગ્ન ન કરે", માતા શારદાબેનના ગંભીર આક્ષેપો

કોર્ટ પરિસરમાં પોલીસ છાવણી જેવો માહોલ

ધંધુકાનો આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી અને શહેરમાં તણાવભરી સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ પ્રશાસન એલર્ટ મોડ પર હતું. કોર્ટ પરિસરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના કાફલા તૈનાત કરી દેવાયા હતા. આરોપીઓને પોલીસના લોખંડી રક્ષણ હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યા અને સુનાવણી પૂર્ણ થયા બાદ સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા.

ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાયું

રિમાન્ડની પ્રક્રિયા દરમિયાન, પોલીસ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હત્યા કઈ રીતે કરવામાં આવી અને હથિયારોનો ઉપયોગ કેવી રીતે થયો, તે અંગેની કડીઓ મેળવવા પોલીસે સ્થળ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:આગામી 72 કલાક સાવધાન! : ગુજરાત સહિત 9 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ; જાણો તમારા શહેરનું હવામાન

હવે આગળ શું?

આગામી બે દિવસ સુધી પોલીસ આ આરોપીઓની સઘન પૂછપરછ કરશે. આ પૂછપરછ દરમિયાન હત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું? શું આમાં અન્ય કોઈ લોકો સામેલ છે? આ તમામ રહસ્યો પરથી પડદો ઉઠવાની શક્યતા છે. હાલમાં ધંધુકા વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત ચાલુ રાખવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now