IPL 2025માં CSK માટે રમતા ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંઘ ઈજાગ્રસ્ત થવાના કારણે સાઉથ આફ્રિકાના Baby AB DE Villiers ના નામે જાણીતા ડેવોલ્ડ બ્રેવિસને CSK એ 2.2 કરોડ રૂપિયામાં ઈજા રિપ્લેસમેન્ટમાં CSKની ટીમમાં સામેલ થયો હતો. જ્યારે તેને રિપ્લેસમેન્ટ તરીકે લેવાનો હતો, ત્યારે તેણે બેઝ પ્રાઈસ પર સહી કરવી પડી હતી. પરંતુ થાય છે કે, તમે એજન્ટ સાથે વાત કરો છો અને ખેલાડી કહે છે, જો તમે મને થોડા વધારાના પૈસા આપો છો, તો હું આવીશ. તેઓ બ્રેવિસને રિપ્લેસમેન્ટ તરીકે લેવા માંગતા હતા પરંતુ વાતચીત પછી, CSK એ તેના એજન્ટોને વધુ પૈસા ચૂકવીને તેને સાઇન કર્યો.
અશ્વિને જણાવ્યું કે બ્રેવિસ કેવી રીતે કામ કરે છે

તેમણે કહ્યું, આવું એટલા માટે થાય છે કારણ કે ખેલાડી જાણે છે કે, જો તેને આગામી સિઝનમાં રિલીઝ કરવામાં આવશે, તો તેને હરાજીમાં સારા પૈસા મળશે. તેથી જ તેણે કહ્યું, હમણાં સારા પૈસા આપો, નહીં તો હું આવતા વર્ષે વધુ પૈસા લઈશ. CSK તેને પૈસા આપવા સંમત થયું, તેથી તે આવ્યો. સીઝનના બીજા ભાગમાં CSKનું કોમ્બિનેશન સારું હતું. હવે તેઓ 30 કરોડ રૂપિયા સાથે IPL 2026 મીની ઓક્શનમાં જશે.
IPLમાં બ્રેવિસે CSKમાં કેવી રીતે પ્રવેશ કર્યો

CSK એ 18 એપ્રિલે IPL 2025 ની વચ્ચમાં બ્રેવિસનો ટીમમાં સમાવેશ કર્યો. તે સમયે ચેન્નાઈની બેટિંગ લાઇન-અપ નબળી હતી અને તેમને નવા ખેલાડીઓની સખત જરૂર હતી. ટીમે આયુષ મ્હાત્રે અને બ્રેવિસને રિપ્લેસમેન્ટ તરીકે લીધા, જેનાથી તેમને સીઝનની છેલ્લી કેટલીક મેચોમાં સારો ફાયદો થયો. ત્યારબાદ IPL એ નિવેદનમાં જણાવ્યું હતું ચેન્નાઈ સુપર કિંગ્સે ઇજાગ્રસ્ત ગુર્જપનીત સિંઘની જગ્યાએ સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસને ટીમમાં લીધો. બ્રેવિસ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો છે, જ્યાં તેણે 10 મેચ (2022 અને 2024 સીઝન) રમી હતી. અને તે IPL2025 માં CSK ની ટીમ સાથે 2.2 કરોડ રૂપિયામાં જોડાયો હતો. IPL 2025 માં, બ્રેવિસે માત્ર 6 મેચમાં 225 રન બનાવ્યા હતા, જેમાં 2 અર્ધ શતકનો સમાવેશ થાય છે. તેનો સ્ટ્રાઇક રેટ 180 હતો.
ડેવાલ્ડ બ્રેવિસને વધારાના પૈસા આપવા યોગ્ય છે કે ખોટું?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એક હરાજી સિસ્ટમ છે, જેમાં ટીમોને તેમની ટીમ બનાવવા માટે એક નિશ્ચિત બજેટ આપવામાં આવે છે. ટીમો વચ્ચે સંતુલન જાળવવા માટે ઓછામાં ઓછી સંખ્યામાં ખેલાડીઓ મળવા પડે છે. પરંતુ "અંડર-ધ-ટેબલ" ડીલ્સનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તે ફિક્સ્ડ બજેટ (જે હાલમાં 120 કરોડ રૂપિયા છે) ના સમગ્ર હેતુને નિષ્ફળ બનાવે છે. જો અશ્વિન સાચો હોય, તો ગુપ્ત ડીલ્સ કરતી ટીમોને હરાજીમાં ફાયદો મળે છે, કારણ કે તેઓ ખેલાડીઓને તેમના બજાર મૂલ્ય કરતા ઓછા ભાવે સાઇન કરે છે. બ્રેવિસના કિસ્સામાં, CSK એ સત્તાવાર રીતે 2.2 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ વાસ્તવિક રકમ ગણી વધારે હોઈ શકે છે. જો અન્ય ટીમો પણ ખેલાડીઓ સાથે આવા જ સોદા કરે છે, તો વાર્તા સંપૂર્ણપણે અલગ હશે. કોઈ પણ સંજોગોમાં, અશ્વિનના આરોપો ફ્રેન્ચાઇઝ મોડલમાં ખામીઓ તરફ નિર્દેશ કરે છે, જેના પર BCCIએ કદાચ ધ્યાન આપવું જોઈએ.




















