Home International Dengue Outbreak In Bangladesh 292 Deaths

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ચિંતાજનક : આ બીમારીના કારણે મોતનો આંકડો 290ને પાર

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ચિંતાજનક
Published by: OBS Bureau
Last Updated: Nov 04, 2025, 07:26 PM IST

બાંગ્લાદેશમાં ડેન્ગ્યૂનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. મંગળવારે વધુ ચાર દર્દીઓના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 292 પર પહોંચી ગયો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, રાજધાની ઢાકા સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસોમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ પરિસ્થિતિ ભારત માટે પણ ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે દર વર્ષે દેશમાં મોટી સંખ્યામાં લોકો ડેન્ગ્યૂથી પીડાય છે.

હોસ્પિટલો ડેન્ગ્યૂના દર્દીઓથી ઠસાઠસ ભરાયા

તાજેતરના આંકડા મુજબ, ફક્ત એક જ દિવસમાં 1,101 નવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુનાઇટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશ (UNB) એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) ને ટાંકીને માહિતી આપી છે કે ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ કયા વિસ્તારોમાં?

DGHSના અહેવાલ અનુસાર, નવા કેસોમાં સૌથી વધુ ઢાકા ઉત્તર શહેર કોર્પોરેશનમાં 241, ઢાકા વિભાગમાં 208, ઢાકા દક્ષિણ શહેર કોર્પોરેશનમાં 175, બારીશાલમાં 151, ચિટ્ટાગોંગ વિભાગમાં 125, મૈમનસિંહમાં 75, ખુલના વિભાગમાં 59, રાજશાહી વિભાગમાં 45, રંગપુરમાં 19 અને સિલહટમાં 3 કેસ નોંધાયા છે.
ઢાકા ટાઈમ્સના અહેવાલ મુજબ, 2024માં 575 લોકો ડેન્ગ્યૂથી મૃત્યુ પામ્યા, જ્યારે 2023માં આ આંકડો 1,705 સુધી પહોંચ્યો હતો — જે અત્યાર સુધીનું સૌથી ઊંચું મૃત્યુઆંક છે.

ડેન્ગ્યૂની સ્થિતિને લઈને સરકાર સજાગ

16 સપ્ટેમ્બરના રોજ DGHS દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી, જેમાં સરકારની તમામ હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ દર્દીઓની સારવાર માટે સમર્પિત વોર્ડ અને તબીબી ટીમો બનાવવાનો આદેશ આપવામાં આવ્યો. DGHSના ડિરેક્ટર (હોસ્પિટલો અને ક્લિનિક્સ) અબુ હુસૈન મોહમ્મદ મૈનુલ અહસાન દ્વારા જારી કરાયેલા આ નિર્દેશ મુજબ, બાંગ્લાદેશની દરેક હોસ્પિટલને પૂરતી દવા, NS-1 પરીક્ષણ અને ઈમર્જન્સી સુવિધાઓ ઉપલબ્ધ રાખવી જરૂરી છે.

હોસ્પિટલોને મચ્છર નિયંત્રણ અને સ્વચ્છતા પર ભાર

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, હોસ્પિટલોને મચ્છર નિયંત્રણ અભિયાન અને સ્વચ્છતા જાળવવા માટે શહેર કોર્પોરેશન અને નગરપાલિકાઓ સાથે સંકલન રાખવા પણ કહ્યું છે. ડોકટરો અને નિષ્ણાતોના વિશેષ બોર્ડને ડેન્ગ્યૂ તથા ચિકનગુનિયા દર્દીઓની સારવાર માટે જવાબદાર બનાવવામાં આવ્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ડેન્ગ્યૂ સામે લડવા માટે સમયસર નિદાન, સ્વચ્છતા અને મચ્છર નિયંત્રણ એ સૌથી અસરકારક ઉપાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની