કોરોનાના કેસ ભારતમાં પણ વધી રહ્યાં છે અને વખતે ફરી કેરળમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં 19 મે 2025 સુધીમાં 257 સક્રિય COVID-19 કેસ નોંધાયા છે. આ કેસો મુખ્યત્વે કેરળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં નોંધાયા છે . આ કેસોમાં મોટાભાગે લક્ષણો હળવા છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી.
આ કેસોમાં વધારો મુખ્યત્વે JN.1 વેરિયન્ટ અને તેના પેટા પ્રકારો, જેમ કે LF-7 અને NB-1.8,ના કારણે થયો છે. આ વેરિયન્ટ્સ ઓગસ્ટ 2023માં જાહેર થયા હતા અને હાલમાં સિંગાપોર અને થાઈલેન્ડમાં પણ કેસોમાં વધારો નોંધાયો છે .
દેશમાં જો સૌથી વધુ કેસની વાત કરીએ તો કેરળમાં સૌથી વધુ 95 કેસ, તમિલનાડુમાં 66 અને મહારાષ્ટ્રમાં 56 કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 7 કેસ નોંધાયા છે.
સાવચેતીના પગલાં:
લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવો
માસ્ક પહેરો અને હાઈજિન જાળવો
ભીડભાડવાળી જગ્યાઓ ટાળો
સિનિયર નાગરિકો અને કોમોર્બિડિટી ધરાવતા લોકો ખાસ કાળજી રાખે




















