Home National Cockroach Janata Party Instagram Viral Cji Row

શું 2029ની ચૂંટણીમાં કોકરોચ પાર્ટી ભાજપ-કોંગ્રેસને હંફાવશે? : કોકરોચ જનતા પાર્ટીએ ઈન્ટરનેટ ગાંડું કર્યું, શું આ છે Gen-zની પસંદ

અલગ અલગ પાર્ટીના લોગો
Published by: Niraj Chokshi
Last Updated: May 22, 2026, 02:46 AM IST

સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ચર્ચાએ હવે નવા ડિજિટલ આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામથી શરૂ કરાયેલું આ ઓનલાઈન અભિયાન થોડા જ સમયમાં લાખો યુવાનો વચ્ચે વાયરલ થઈ ગયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઈન્સ્ટાગ્રામ પેજના ફોલોઅર્સની સંખ્યા 15 મિલિયનથી વધુ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર આ આંદોલનને ખાસ કરીને Gen-Z યુવાનોનું ભારે સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ તેની તુલના દેશની મોટી રાજકીય પાર્ટીઓના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે પણ થઈ રહી છે. ઉપલબ્ધ આંકડા મુજબ, ઇન્સ્ટાગ્રામ પર ભાજપના અંદાજે 87 લાખ અને કોંગ્રેસના લગભગ 1.32 કરોડ ફોલોઅર્સ છે. આવી સ્થિતિમાં માત્ર થોડા દિવસોમાં CJPનું ઝડપથી ઉભરવું ચર્ચાનો વિષય બની ગયું છે.

કેવી રીતે શરૂ થઈ ‘કોકરોચ જનતા પાર્ટી’?

આ ડિજિટલ અભિયાનની શરૂઆત મહારાષ્ટ્રના અભિજીત દીપકે દ્વારા કરવામાં આવી છે. પાર્ટીનું સૂત્ર રાખવામાં આવ્યું છે. “Secular, Socialist, Democratic, Lazy” એટલે કે “ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહીવાદી અને આળસુ.” અભિજીત દીપકે હાલમાં અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ 2020થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ની સોશિયલ મીડિયા ટીમમાં વોલન્ટિયર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. અભિજીતે મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર CJI સાથે જોડાયેલા સમાચાર જોયા હતા, જેમાં બેરોજગાર યુવાનોની તુલના કથિત રીતે “કોકરોચ” અને “પરજીવી” સાથે કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી અને યુવાનોના સમર્થન બાદ “કોકરોચ જનતા પાર્ટી” નામથી ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કર્યું.

આ પણ વાંચો: LPG Shortage India: શું સાચે જ રોજ 4 લાખ બેરલ LPGની અછત છે? : રિપોર્ટ પર સરકારે આપ્યો જવાબ

CJIના નિવેદનને લઈને શું છે વિવાદ?

15 મેના રોજ કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક કેસની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે બેરોજગાર યુવાનોની તુલના “કોકરોચ” સાથે કરી હતી. જોકે બાદમાં CJIએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે તેમની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમનું નિવેદન એવા લોકો માટે હતું, જે નકલી ડિગ્રીના આધારે વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્રવેશી ગયા છે. તેમના અનુસાર, તેમણે સમાજમાં આવા તત્વોને “પરજીવી” ગણાવ્યા હતા, બેરોજગાર યુવાનોને નહીં. આ સ્પષ્ટતા છતાં સોશિયલ મીડિયા પર ચર્ચા યથાવત રહી અને એ જ દરમિયાન “કોકરોચ જનતા પાર્ટી” ઝડપથી ટ્રેન્ડ થવા લાગી.

પાર્ટીની સભ્યતા માટે શું છે શરતો?

CJPએ વ્યંગાત્મક અંદાજમાં પોતાની સભ્યતા માટે કેટલીક “લાયકાતો” પણ જાહેર કરી છે. તેમાં બેરોજગાર હોવું, આળસુ રહેવું, સતત ઓનલાઈન રહેવું અને “ભડાસ કાઢવાની ક્ષમતા” જેવી બાબતોનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર તેને મીમ સંસ્કૃતિ અને રાજકીય વ્યંગ્યના મિશ્રણ તરીકે જોવામાં આવી રહ્યું છે. યુવાનોમાં આ આંદોલન એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે તેમાં બેરોજગારી, રાજકીય પ્રતિનિધિત્વ અને સિસ્ટમ પ્રત્યેની નારાજગી જેવા મુદ્દાઓને હાસ્ય અને વ્યંગ્ય દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: EPFO Update: સૌથી મોટા ખુશખબર! : UPI દ્વારા ઉપાડી શકાશે PFના પૈસા, ટેસ્ટિંગ થયું પૂરું

પાર્ટીના મેનિફેસ્ટોમાં શું છે?

કોકરોચ જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક અનૌપચારિક “મેનિફેસ્ટો” પણ જાહેર કર્યો છે. તેમાં અનેક વિવાદાસ્પદ અને વ્યંગાત્મક પ્રસ્તાવો સામેલ છે.

મેનિફેસ્ટો અનુસાર:

નિવૃત્તિ બાદ કોઈપણ CJIને રાજ્યસભામાં મોકલવાની પરંપરા બંધ કરવાની વાત કરવામાં આવી છે.

મહિલાઓને 50 ટકા અનામત આપવાની માંગ કરવામાં આવી છે.

દળબદલી કરનારા નેતાઓ પર 20 વર્ષ સુધી ચૂંટણી લડવા પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

મોટા મીડિયા હાઉસ અને “ગોદી મીડિયા”ની તપાસ કરવાની વાત પણ કરવામાં આવી છે.

જોકે આ મેનિફેસ્ટો ગંભીર રાજકીય દસ્તાવેજ છે કે માત્ર સોશિયલ મીડિયા અભિયાનનો ભાગ છે તે હજી સ્પષ્ટ નથી.

આ પણ વાંચો: વિશ્વભરમાં ઇબોલા વાયરસનો ખૌફ : દિલ્હીમાં યોજાનારી 'ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ' મોકૂફ, જાણો છેલ્લી ઘડીએ કેમ લેવાયો આ મોટો નિર્ણય

શું 2029ની ચૂંટણી લડશે પાર્ટી?

અભિજીત દીપકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હાલ એ કહેવું વહેલું રહેશે કે CJP 2029ની ચૂંટણી લડશે કે નહીં. તેમના જણાવ્યા મુજબ આ આંદોલન હજુ શરૂઆતના તબક્કામાં છે અને આગળની દિશા યુવાનોના અભિપ્રાયના આધારે નક્કી કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે Gen-Z યુવાનોનો મોટો વર્ગ પરંપરાગત રાજકીય પક્ષોથી અંતર જાળવી રાખવા માંગે છે અને તેઓ નથી ઇચ્છતા કે કોઈ સ્થાપિત રાજકીય પક્ષની છાયા આ આંદોલન પર પડે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભલે હાલ આ માત્ર સોશિયલ મીડિયા ટ્રેન્ડ હોય, પરંતુ તે યુવાનોમાં રહેલા અસંતોષ અને ડિજિટલ રાજકીય ભાગીદારીની નવી શૈલીને જરૂર દર્શાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now