Home Gujarat Cm Bhupendra Patel Launches Obesity Free Gujarat Campaign In Gujarat

''અબ કી બાર, હેલ્ધી ગુજરાત'' : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ની નેમ

''અબ કી બાર, હેલ્ધી ગુજરાત''
Published by: Offbeat Team
| Last Updated: Mar 04, 2025, 02:14 PM IST

ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વિતા ઓછી કરવા માટે અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે.

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા.૪ માર્ચ - વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ-44 અંતર્ગત એક નિવેદન દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ સાધનાને તથા ફિટ ઇન્ડિયા માટે ખેલકૂદ અને પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે. તેઓ દેશવાસીઓને આ માટે અનેક મંચ પરથી પ્રેરણા પણ આપતા રહ્યા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના તાજેતરના એપિસોડમાં આ મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે. એટલું જ નહિ, તેમણે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામુહિક કાર્યવાહી પર પણ પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે, જો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ છે. “પહેલું સુખ તે જાતે નર્યા” એ કહેવતને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે તથા મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહના નેતા તરીકે વિધાનસભા ગૃહના સૌ ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને “મેદસ્વિતામુક્ત ગુજરાત” અને સૌ નાગરિકોના જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના જનસેવા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ પણ કર્યો હતો.

સ્થૂળતા એટલે શું તે સમજીએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર મેદસ્વિપણાને અસામાન્ય કે વધુ પડતી ચરબીના સંચય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.

* કોઈપણ વ્યક્તિની સ્થૂળતા વર્ગીકૃત કરવા માટે BMI એટલે કે, બોડી માસ ઇન્ડેક્સનો આધાર લેવામાં આવે છે. ૨૫ કે તેથી વધુના બી.એમ.આઈ.ને વધુ વજનવાળા અને ૩૦ કે તેથી વધુના બી.એમ.આઈ.ને મેદસ્વિતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

* આ બી.એમ.આઈ શોધવા માટે વ્યક્તિનું વજન (કિલોગ્રામ)ને તે વ્યક્તિની ઊંચાઈ (મીટર)ના વર્ગ વડે વિભાજિત કરવાનું હોય છે.

ભારત અને ગુજરાતમાં મેદસ્વિતાપણુ

* નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFH-5 2019-21) મુજબ ભારતમાં એકંદરે ૨૪% સ્ત્રીઓ અને ૨૩% પુરુષો વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે. ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં આ પ્રમાણ સ્ત્રીઓમાં 22.6 ટકા અને પુરુષોમાં 19.9 ટકાનું જોવા મળ્યું છે.

સ્થૂળતા માટે મુખ્યતઃ જવાબદાર પરિબળો

* સ્થૂળતા એટલે કે મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા મુખ્યત: પરિબળો જવાબદાર છે.

અસરો

* આના પરિણામે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાક, શ્વાસ લેવામાં તકલીફ, સાંધાના દુ:ખાવા તેમજ ડિપ્રેશન જેવી બાબતોને કારણે આરોગ્ય સેવાઓ માટે વધુ પડતો ખર્ચ કરવો પડે છે.

મેદસ્વિતા નિયંત્રણ અને નિવારણ ઉપાયો

* સ્થૂળતા-મેદસ્વિતાના નિયંત્રણ અને નિવારણ માટે તાજા શાકભાજી, ફળો, ફાઇબરયુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ. ઉપરાંત નિયમિત કસરત, યોગ, ચાલવુ-દોડવું વગેરે ફાયદાકારક રહે છે.

* એટલું જ નહિ, દરરોજ ઓછામાં ઓછી સાત-આઠ કલાક ઊંઘ લેવી પણ જરૂરી છે. તેમજ ધ્યાન, યોગ અને હળવી પ્રવૃત્તિઓ દ્વારા સ્ટ્રેસ પણ ઘટાડવો જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં  કેન્દ્ર અને રાજ્ય સરકાર મેદસ્વિતા સામે ઈટ રાઈટ મુવમેન્ટ અને ફીટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા સંતુલિત આહાર તથા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે વિવિધ માધ્યમો દ્વારા લોકજાગૃતિ અંગે પ્રચાર પ્રસાર કરે છે.  એન.સી.ડી. અંતર્ગત રાજ્યભરમાં ૩૦ વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે સમુદાય આધારિત સ્ક્રીનીંગ અંતર્ગત કમરનો ઘેરાવો અને બોડી માસ ઇન્ડેક્ષની તપાસ કરવામાં આવે છે અને વધુ વજન તથા સ્થુળતા જણાય તેવા વ્યક્તિઓને જરૂરી સલાહ-સુચન અને સંદર્ભ સેવાઓ પુરી પાડવામાં આવે છે.

હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીશ જેવી સ્થૂળતાની જટિલતાઓ માટે ચકાસણી કરવામાં આવે છે અને નિદાન પામેલ દર્દીઓને નિ:શુલ્ક સારવાર અને સંદર્ભ સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે.

મેદસ્વિતા-જાડાપણાને દૂર કરવાની ચળવળમાં રાજ્યના દરેક વ્યક્તિ, પ્રત્યેક પરિવાર અને સંસ્થાઓ પોતાનું યોગદાન આપીને જનભાગીદારીથી ગુજરાતને આરોગ્ય સુખાકારી માટે મોડેલ સ્ટેટ બનાવે તે જરૂરી છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ભાવિ ડોક્ટરનો કરુણ અંત: રાજકોટ AIIMS ના વિદ્યાર્થીએ પરપીપડીયા પાસે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભાવિ ડોક્ટરનો કરુણ અંત

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન: “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ: ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા: રાત્રે પેડલ રિક્ષામાં રેકી કરી બંધ મકાનોમાં કરતા હતા ચોરી!

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો: 20થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત, SOG ટીમની મોટી કાર્યવાહી

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક: જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા ગંભીર સવાલો, મંત્રી મનીષા વકીલનો જવાબ ઘેરાયા ધારાસભ્ય

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?: ગિરનાર નોનવેજ-દારૂ પાર્ટી કેસમાં સગીરના આક્ષેપોથી ખળભળાટ

પૂજારીઓએ જ રચ્યું ષડયંત્ર?

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર: 7 વર્ષ પછી ડભોઈ–કરજણ રેલવે લાઇન ફરી શરૂ, 15 માર્ચથી ડેમુ ટ્રેન દોડશે

વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 394 સંસ્થાઓમાં મતદાન, 26 માર્ચ આસપાસ કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ: પતિએ પત્નીનું ગળું દબાવીને ચપ્પુના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા, નાના બાળકના માથેથી છીનવાઈ ગઈ માતાની છત્રછાયા

વડોદરાના બરાનપુરામાં ઘરકંકાસનો ભયાનક અંજામ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો: નકલી લૂંટનું નાટક રચવાના આરોપમાં 11 ગુજરાતીઓની ધરપકડ

અમેરિકામાં ગ્રીન કાર્ડનો 'શોર્ટકટ' ભારે પડ્યો

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!: ઘરે પરત ફરી ગુજરાતી લોકગાયિકા

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો!
Play Video

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર: માછણ નદી કિનારે ઝાડીઓમાંથી લાશ મળી

ઝાલોદમાં પૂજારીની હત્યાથી ચકચાર

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!: ગુજરાતમાં 18-19 માર્ચે વરસાદની આગાહી, 16 જિલ્લાઓમાં અસર, ખેડૂતોની ચિંતા વધી!

અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આફત!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય: રાજ્યમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને સંસ્થાઓને હવે તત્કાલ મળશે PNG કનેક્શન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Play Video

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો: 586 પાથરણાંવાળાને 21 માર્ચ સુધી પરિસરમાં પુનઃસ્થાપિત કરો, કાયદા વિરુદ્ધ દૂર કરાયા

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો
Play Video

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક': શાળામાં બોમ્બ પ્લાન્ટ કર્યાનો ખોટો મેસેજ મોકલનારની અટકાયત

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક'

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના: જાણો, કેવી રીતે ઓલવાઈ ઈડર ગઢના ડુંગરો પર આગ?

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ: ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી; આ બે મોટી બ્રાન્ડના નામે કરતા હતા 'કાંડ'

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ