Home Gujarat Rajkot Rajkot Gujctoc Ramdev Dangar Gang Three Accused Arrested

રાજકોટમાં સંગઠિત ગુનાખોરી પર પોલીસનો પ્રહાર : રામદેવ ડાંગર ગેંગ વિરુદ્ધ ‘ગુજસીટોક’ દાખલ, 3 આરોપીઓ જેલહવાલે

Rajkot Police
Published by: Viral Patel
Last Updated: Jun 17, 2026, 12:38 PM IST

Rajkot News: શહેરમાં ગુનાખોરી અને માફિયાગીરીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજકોટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી ગઈ છે. સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓ સામે પોલીસે વધુ એક વખત કડક કાનૂની શસ્ત્ર ઉગામ્યું છે. શહેરમાં આતંક મચાવતી કુખ્યાત રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC-ગુજસીટોક) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગેંગના કુલ 5 આરોપીઓ સામે કાયદાનો સકંજો કસાયો છે.

રાજકોટમાં ચેતેશ્વર પૂજારા સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષની મુલાકાત : PM તરીકે નરેન્દ્ર મોદીનાં 12 વર્ષ પૂર્ણ થવા પર કરી મુલાકાત

5માંથી 3 આરોપીઓની ધરપકડ, અન્યની શોધખોળ શરૂ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્વરિત અને કડક કાર્યવાહી હાથ ધરીને ગેંગના 5 સભ્યોમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમને જેલ હવાલે કરી દીધા છે. જ્યારે ટોળકીના બાકીના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગેંગનો હિસ્ટ્રીશીટ ટ્રેક રેકોર્ડ: કુલ 52 ગુનાઓ નોંધાયેલા છે

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, રામદેવ ડાંગરની ટોળકી લાંબા સમયથી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા માટે મોટો પડકાર બની હતી. આ ગેંગના સભ્યો હત્યા, હત્યાની કોશિશ, તેમજ આર્મ્સ એક્ટ (ગેરકાયદેસર હથિયાર રાખવા) જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસ રેકોર્ડ અનુસાર, આ ટોળકી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 52 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સંગઠિત થઈને ગુના આચરતી આ ગેંગના આર્થિક અને ગુનાહિત નેટવર્કને તોડી પાડવા માટે ગુજસીટોકનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ પોલીસ માની રહી છે.

રાજકોટમાં 23 વર્ષીય પરિણીતાના મોતનો ભેદ ખૂલ્યો : જેઠે ભાભીની હત્યા કરીને એવું નાટક રચ્યું કે પોલીસ પણ ગોથે ચડી!

એક વર્ષમાં 8 ગેંગ પર ત્રાટકી પોલીસ: 90થી વધુ ગુનેગારો જેલમાં

રાજકોટ પોલીસ કમિશનરેટ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા એક વર્ષથી સંગઠિત ગુનાખોરી સામે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ હેઠળ પોલીસને મોટી સફળતા મળી છે. ગુજસીટોક હેઠળ લેવાયેલી ગેંગ 08 ગેંગ, જેલભેગા કરાયેલા કુલ આરોપીઓ 90થી વધુ..

પોલીસનો સ્પષ્ટ સંદેશ: ગુનેગારોમાં ભય અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જરૂરી

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આગામી દિવસોમાં પણ ગુનેગારો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સામાન્ય નાગરિકો કોઈપણ ડર વગર સુરક્ષિત વાતાવરણમાં જીવી શકે અને ગુનેગારોમાં કાયદાનો ખોફ પેદા થાય તે માટે પોલીસ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

રાજકોટના કારીગરની અનોખી પ્રતિભાને મળ્યું સન્માન : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ 'શ્રીજી ટુલ્સ'ની લીધી મુલાકાત


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now