Chaitar Vasava on AAP Pramukh Case: નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર બુટલેગર દ્વારા હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. સદભાગ્યે આ હુમલો નિષ્ફળ રહ્યો છે અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ ઘટનાને રાજકીય તણાવનો રંગ મળતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસને ચિમકી ઉચ્ચારી છે.
હુમલા બાદ જિલ્લા પ્રમુખ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવા તાત્કાલિક રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોલીસ પી.આઈ. સાથે ચર્ચા કરી હતી. પાર્ટી કાર્યકરો દ્વારા આરોપીઓને ઝડપથી પકડી લેવા અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
નર્મદા પોલીસ પી.આઈ. એ ધારાસભ્ય ચેતન વસાવાને આ અંગે જણાવું હતું કે, 24 કલાકની અંદર આરોપીઓને પકડી લઈશું, તેમના હથિયાર અને તેમના વાહન પણ જપ્ત કરીશું. અને આવનાર દિવસોમાં તેમની દરખાસ પણ કલેકટરને મોકળીશું. ત્યારે ચૈતર વસાવા એ કહ્યું કે "જો આમ નહીં થાય તો અમે બધા જ લોકો નીરંજન ભાઈ અને તેમના પરિવારની સુરક્ષા માટે ભેગા થઈશું, SP સાહેબની કચેરીએ જઈશું અને વિનંતી કરીને તેમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમે માંગ કરીશું."






