બોટાદ તાલુકા પંચાયતમાં આજે રાજકીય રાજીનામું જોવા મળ્યું!, ભાજપના દલિત આગેવાન અને ન્યાય સમિતિના ચેરમેન સુમિતકુમાર પરમારએ પોતાના પદેથી રાજીનામું આપીને ભાજપ સાથે સંબંધ તોડ્યાની જાહેરાત કરી છે. સુમિત પરમારએ જણાવ્યું કે, હડદડ ગામના ઘટનાક્રમ અને તેમાં નિર્દોષ ખેડૂત પરિવારો પર થયેલી દમનકારી કાર્યવાહીથી તેઓ આલોતારી રીતે પીડિત થયા''.
''...ઈશારે ખેડૂતોને માર મારાયો''
તેમના મતે, "ભાજપના ઈશારે ખેડૂતોને માર મારાયો છે જે અત્યંત ખેદજનક છે. આ દમનનો ભાગીદાર બનવાને બદલે મેં પદનો ત્યાગ કરવો યોગ્ય સમજ્યો" તેમણે ઉમેર્યું કે, "મારાં આંતરિક આત્માએ મને જણાવ્યું કે વધુ સમય હું પાપમાં ભાગીદાર રહી શકતો નથી."
“અહિંસાના પક્ષમાં આત્માની જગૃતિને સ્થાન નથી”
ઈશારે ખેડૂતોને માર મારાયો પરમારએ ભાજપ સરકાર પર તીખા પ્રહારો કરતા કહ્યું કે, "મારી અંદરથી જે પીડા જન્મી, એ પીડા સમજવા ભાજપના નેતાઓ પાસે આત્મા હોવો જરૂરી છે – જે જણાતો નથી." તેમણે જણાવ્યું કે, "હું ખેડૂત પરિવારની વેદનાને દોષભોગી સમજી શકું છું, પણ એવી સરકારમાં રહીને મૌન રહેવું એટલે દોષમાં સહભાગી થવું સમાન છે."
કોંગ્રેસ તરફથી સમર્થન અને અભિનંદન
સુમિત પરમારના રાજીનામાં પછી કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે, "સત્યના પક્ષે ઊભા રહીને સાહસિક નિર્ણય લેનાર પરમારને અમે અભિનંદન પાઠવીએ છીએ. આવો ચેરમેન, જે પદ કરતા મૂલ્ય અને ન્યાયને વધુ મહત્વ આપે, એ સમાજ માટે આદર્શ બની શકે''






