After Pahalgam Attack Pakistan in Fear: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ગતિવિધિઓ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ્સ અનુસાર, પાકિસ્તાન તેના વિમાનોની મદદથી એરબેઝ પર સાધનો પહોંચાડી રહ્યું છે. ઉપરાંત, ઘણી પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે PAF એ ભારતીય સરહદની આસપાસના એરબેઝમાં વિમાનોની તૈનાતી વધારી દીધી છે. ભારત ક્યાંક હુમલો ના કરી દે તેવી દહેશત પણ હાલ પાકિસ્તાનમાં પેંઠી છે. પહેલગામમાં થયેલાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત કુલ 28 લોકોની હત્યા કરવામાં આવી છે.
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન ડરમાં!
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતની પ્રતિક્રિયા પહેલા જ પાકિસ્તાન પહેલાથી જ ડરમાં છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને સરહદની આસપાસ સૈન્ય તૈનાત વધારી દીધું છે અને લશ્કરી વિમાનો તૈનાત કર્યા છે. ફ્લાઇટ ડેટા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જોકે, પાકિસ્તાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર 24 ના ઘણા સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાન એરફોર્સ (PAF) ના વિમાનો કરાચી સ્થિત સધર્ન એર કમાન્ડથી લાહોર અને રાવલપિંડીની નજીકના ઉત્તરમાં એરબેઝ પર ઉડતા જોઈ શકાય છે. ઉત્તરીય ક્ષેત્રમાં સ્થિત, આ એરબેઝ ભારતીય સરહદોની નજીક પાકિસ્તાન વાયુસેનાનું સૌથી નજીકનું એરબેઝ છે. રાવલપિંડીમાં PAF બેઝ નૂર ખાન છે જે પાકિસ્તાનના મુખ્ય ઓપરેશનલ બેઝમાંનું એક છે.સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે, પરંતુ બે પોસ્ટમાં જોઈ શકાય છે કે PAF198, એક લોકહીડ C-130E હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કરાચીથી લાહોર તરફ ઉડતું જોવા મળે છે.






