મે 2026 દરમિયાન બેન્ક ગ્રાહકો માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા હોલિડેઝ કેલેન્ડર મુજબ, દેશભરમાં અલગ-અલગ રાજ્યોમાં મળી કુલ આશરે 12 દિવસ બેન્કો બંધ રહેવાની છે. આ રજાઓમાં વીકએન્ડ સિવાય ધાર્મિક તહેવારો, રાજ્યવાર ખાસ દિવસો અને પ્રાદેશિક પ્રસંગોનો સમાવેશ થાય છે, જેના કારણે સામાન્ય બેન્કિંગ સેવાઓ પર અસર પડશે.
બેન્કો બંધ રહેવાના દિવસો રાજ્યો પ્રમાણે બદલાતા હોવાથી દરેક રાજ્યમાં તમામ દિવસો એકસરખા લાગુ પડતા નથી. છતાં, ગ્રાહકો માટે એ સમજવું જરૂરી છે કે જો તેઓ મે મહિનામાં કોઈ મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહાર કરવાની યોજના બનાવી રહ્યા હોય, તો આ રજાઓનું અગાઉથી ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.
મે મહિનામાં રજાઓનું વિભાજન
RBI ની માર્ગદર્શિકા મુજબ, મે મહિનામાં આવતી રજાઓમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર સિવાય કેટલીક મુખ્ય જાહેર રજાઓનો સમાવેશ થાય છે. આમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર દિવસ (1 મે), બુદ્ધ પૂર્ણિમા (મધ્ય મે આસપાસ), તેમજ કેટલાક રાજ્યોમાં સ્થાનિક તહેવારોના કારણે બેન્કો બંધ રહેશે.
વિકેન્ડ રજાઓ
મે 2026 માં કુલ પાંચ રવિવારનો સમાવેશ થાય છે; પરિણામે, 3, 10, 17, 24 અને 31 મે ના રોજ બેંકો બંધ રહેશે. વધુમાં, 9 મે (બીજો શનિવાર) અને 23 મે (ચોથો શનિવાર) ના રોજ બેંકિંગ સેવાઓ સ્થગિત રહેશે. જો કે, RBI અનુસાર, સમગ્ર દેશમાં બેંક રજાઓ એકસરખી નથી; તે રાજ્યથી રાજ્યમાં બદલાય છે. એક રાજ્યમાં બેંક બંધ હોય શકે છે જ્યારે બીજા રાજ્યમાં ખુલ્લી રહે છે. તેથી, બેંકની મુલાકાત લેતા પહેલા તમારા રાજ્યને લગતી રજાઓની સૂચિ તપાસવાની ખાતરી કરો.
મેમાં આ દિવસો બંધ રહેશે બેન્ક
1 મેના રોજ, દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો મજૂર દિવસ, મહારાષ્ટ્ર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાના કારણે બંધ રહેશે. જોકે, મેઘાલય, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, પંજાબ, હરિયાણા, ઓડિશા અને ગુજરાત જેવા કેટલાક રાજ્યોમાં બેંકો ખુલ્લી રહી શકે છે.
9 મેના રોજ, પશ્ચિમ બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિને કારણે બેંકો બંધ રહેશે, જે મહિનાના બીજા શનિવાર સાથે સુસંગત છે.
16 મેના રોજ, સિક્કિમમાં બેંકો 'રાજ્ય દિવસ' (સિક્કિમ દિવસ) ના અવસરે બંધ રહેશે.
26 મેના રોજ, ત્રિપુરામાં બેંકો કાઝી નઝરુલ ઇસ્લામની જન્મજયંતિ નિમિત્તે બંધ રહેશે.
27 મેના રોજ, દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બકરી ઇદ (ઈદ-ઉલ-અધા) માટે બંધ રહેશે; જોકે, કેટલાક રાજ્યોમાં બેંકો ખુલ્લી રહી શકે છે.
28 મેના રોજ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ગોવા અને બિહાર જેવા રાજ્યોમાં બકરી ઇદની રજા રહેશે.
ખાસ નોંધવાની વાત એ છે કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બધાજ દિવસોની રજાઓ લાગુ પડતી નથી. તેથી, અમદાવાદ અથવા સુરત જેવા શહેરોમાં ગ્રાહકો માટે ચોક્કસ દિવસોની માહિતી મેળવવી જરૂરી બને છે. ઓનલાઇન બેન્કિંગ, મોબાઇલ એપ્સ અને ATM સેવાઓ ચાલુ રહેશે, પરંતુ બ્રાંચ સેવાઓ ઉપલબ્ધ નહીં હોય.
ગ્રાહકો પર અસર અને સૂચનાઓ
બેન્ક રજાઓને કારણે ચેક ક્લિયરન્સ, ડિમાન્ડ ડ્રાફ્ટ, કેશ ટ્રાન્ઝેક્શન અને અન્ય બ્રાંચ આધારિત સેવાઓમાં વિલંબ થઈ શકે છે. ખાસ કરીને વેપારીઓ, નાના ઉદ્યોગકારો અને દૈનિક નાણાકીય વ્યવહારો કરતા લોકો માટે આ સમયગાળો આયોજનપૂર્વક સંભાળવો જરૂરી બને છે.
ડિજિટલ બેન્કિંગની વધતી સુવિધાઓને ધ્યાનમાં રાખીને, RBI અને બેન્કો ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળવા પ્રોત્સાહિત કરી રહી છે. UPI, નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન્સ દ્વારા મોટાભાગની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો: કાચું તેલ 120 ડોલર થશે તો ભારતનો વૃદ્ધિ દર (GDP) 6 ટકા સુધી ઘટી શકે! : જાણો EYની ચેતવણી કેમ મહત્વની છે?
રાજ્યવાર ફેરફાર સમજવો જરૂરી
બેન્ક રજાઓ સંપૂર્ણપણે રાષ્ટ્રીય સ્તરે લાગુ પડતી નથી, પરંતુ તે ત્રણ કેટેગરીમાં વહેંચાયેલી છે- નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળની રજાઓ, રિયલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) રજાઓ અને બેન્ક ક્લોઝિંગ ડે. આથી, એક રાજ્યમાં બેન્ક બંધ હોય ત્યારે બીજા રાજ્યમાં ખુલ્લી પણ હોઈ શકે છે.
ગુજરાતમાં સામાન્ય રીતે રવિવાર અને બીજા-ચોથા શનિવાર સિવાય માત્ર ચોક્કસ જાહેર રજાઓ જ લાગુ પડે છે. તેથી, સ્થાનિક બ્રાંચ અથવા બેન્કની સત્તાવાર વેબસાઈટ પરથી અપડેટ માહિતી મેળવવી વધુ યોગ્ય રહેશે.





