Home Gujarat Authorities In Action Mode After Rains In Banaskantha

બનાસકાંઠામાં વરસાદી અસર બાદ તંત્ર એક્શન મોડમાં : પ્રભાવિત ગામડામાં વીજ પુરવઠાને કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી

બનાસકાંઠામાં વરસાદી અસર બાદ તંત્ર એક્શન મોડમાં
Published by: OBS Bureau
Last Updated: Sep 09, 2025, 08:02 AM IST

બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

બનાસકાંઠામાં વરસાદી અસર બાદ તંત્ર એક્શન મોડમાં

જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા યુ.જી.વી.સી.એલ પાલનપુર સર્કલ હેઠળ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપન કામગીરી ચાલી રહી છે. આજે 9 સપ્ટેમ્બર 2025ના સવારના 10 વાગ્યા સુધી 297 અસરગ્રસ્ત વિસ્તાર પૈકી 133 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે. બાકીના 164 ગામડાઓમાં વીજ પુરવઠાને કાર્યરત કરવા કામગીરી ચાલી રહી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now