કોણ હશે એશિયા કપ માટે ભારતના ઓપનર?
ભારતીય ટીમમાં ઓપનર તરીકે દાવેદારમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ છે.
શું ગિલ ભારતની T20I યોજનાઓમાં ફિટ બેસે છે?
મીડિયામાં એવા અહેવાલો છે કે, ગિલ T20I ટીમમાં પાછા ફરી શકે છે, સંભવતઃ ઉપ-કેપ્ટન તરીકે. મીડિયા રિપોર્ટ અનુસાર, ODI ટીમના વર્તમાન કપ્તાન રોહિત શર્મા નિવૃત્તિ લીધા પછી તેને ODI ટીમની કપ્તાની મળી શકે છે. પ્રશ્ન એ છે કે, શું ગિલ ભારતની T20I યોજનાઓમાં ફિટ બેસે છે? તેને હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં T20 ની મેચમાં રમી હતી, જ્યાં તેણે 15 મેચોમાં લગભગ 156 ના સ્ટ્રાઇક રેટથી 6 અર્ધશતક સાથે 650 રન ફટકાર્યા હતા અને સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ચોથા ક્રમે હતો.
ટીમ પસંદગી એટલી સરળ નથી. કારણ કે, છેલ્લી વખત જ્યારે ભારત સંપૂર્ણ T20I ટીમ રમી હતી, ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ T20 વર્લ્ડ કપ 2024 માં હાજર હતા, અને ગિલ મુખ્ય 15 ખેલાડીઓ ઉપરાંત ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડી તરીકે હતો.
અભિષેક શર્મા અને તિલક વર્મા
છેલ્લા T20 વર્લ્ડ કપ જીત્યા પછી, બધા ટોપ ઓર્ડર વિકલ્પોમાં, અભિષેક તેના સ્ટ્રોકપ્લે અને સ્ટ્રાઇક રેટને કારણે ટોપ સ્કોરર અને સૌથી શાનદાર ખેલાડી રહ્યો છે. IPL અને ડોમેસ્ટિક મેચોમાં 42 મેચોમાં, તેણે 40 ઇનિંગ્સમાં 34.94 ની સરેરાશથી 1,363 રન બનાવ્યા છે, જેમાં 198 થી વધુનો સ્ટ્રાઇક રેટ, ચાર શતક અને છ અર્ધ શતક સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 141 છે. T20 વર્લ્ડ કપ પછી, તિલક વર્માએ 36 મેચ અને 32 ઇનિંગ્સમાં 50.00 ની સરેરાશથી 1,200 રન બનાવ્યા છે, જેમાં 153.84 નો સ્ટ્રાઇક રેટ, ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 151 છે. આમાંથી બે શતક ગયા વર્ષે સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ફટકાર્યા હતા.
સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવ

સેમસન પણ શાનદાર પ્રદર્શન કર્યું અને અભિષેક સાથે ભારતીય ટીમ માટે ઓપનર તરીકે નવી વિચારધારા રજુ કરી છે. T20 વર્લ્ડ કપથી જીત્યાબાદ, તેણે 31 T20 મેચની 30 ઇનિંગ્સમાં 33.62 ની સરેરાશ અને 157.09 ના સ્ટ્રાઇક રેટથી 908 રન ફટકાર્યા છે, જેમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. કપ્તાન સૂર્યકુમાર યાદવે બધી T20 મેચોમાં 36.90 ની સરેરાશ અને 161.13 ના સ્ટ્રાઇક રેટથી 1,107 રન બનાવ્યા છે અને આઠ અર્ધ શતક ફટકાર્યા છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે.
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ

2024 T20I વર્લ્ડ કપ પછી, ગિલે ઝિમ્બાબ્વેમાં બીજા ક્રમની ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું અને જુલાઈ 2024 એ ભારત માટે છેલ્લી વખત T20I રમ્યો. તેને 21 T20I મેચમાં 30.42 ની સરેરાશથી 578 રન, 139 થી વધુનો સ્ટ્રાઇક રેટ, એક શતક અને ત્રણ અર્ધ શતક ફટકાર્યા, જોકે તેની T20I કારકિર્દીની શરૂઆતમાં તેનું પ્રદર્શનમાં ગણા ઉતાર- ચઢાવ રહ્યા હતા. જયસ્વાલે જુલાઈ 2024 માં તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ માટે ગિલ પહેલા જયસ્વાલને બેકઅપ ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ભારત રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવા માંગતું હોવાથી તે બેકઅપ ઓપનર હતો. જયસ્વાલના 23 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક શતક અને પાંચ અર્ધ શતક 164થી વધુના સ્ટ્રાઇક રેટથી 723 રન ફટકાર્યા હતા.
શું વિચારધારા હોઈ શકે?
જો સેમસન-અભિષેકની ટોપ ઓર્ડરની જોડી તૂટશે નહિ, ત્યાં સુધી ગિલ અથવા જયસ્વાલને પ્રથમ પસંદગીની પ્લેઇંગ ઇલેવનમાં શોધવા મુશ્કેલ છે. જો તેઓ એશિયા કપ ટીમને 15 ખેલાડીઓ સુધી મર્યાદિત રાખે છે, તો તેમને વર્લ્ડ કપ માટે પણ આવું જ કરવું પડશે. અભિષેક, સેમસન, ગિલ અને જયસ્વાલ માટે, આ ચાર ખેલાડીઓને પસંદ કરવા મુશ્કેલ છે કારણ કે અન્ય ભૂમિકાઓ માટે બેકઅપ ખેલાડીઓની જરૂર પડશે. સેમસનને ફાયદો છે કારણ કે તે વિકેટકીપર-બેટ્સમેન છે. એશિયા કપ માટે જયસ્વાલ અથવા ગિલમાંથી કોઈ એકને પસંદ કરવાનો નિર્ણય પસંદગીકારો પર નિર્ભર રહેશે અને કોણ વધુ પ્રભાવ પાડશે તે જોવાનું રહેશે.





















