Home Sports Arshdeep Singh Instagram Post Delete Ipl 2026

અડધી રાત્રે અર્શદીપની આ હરકતથી થયો હોબાળો! : IPL બાદ આ પગલાએ બધાને કર્યા વિચારતા, જાણો શું છે આખો મામલો

Arshdeep Singh
Published by: Aryan Shah
Last Updated: May 26, 2026, 09:10 AM IST

Arshdeep Singh : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે મેદાન પર પોતાની શાનદાર યોર્કર અને વિકેટ લેવાની શૈલી માટે જાણીતો અર્શદીપ આ વખતે કોઈ મેચના કારણે નહીં, પરંતુ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લીધેલા એક ચોંકાવનારા પગલાને લીધે હેડલાઇન્સમાં આવ્યો છે. IPL 2026 માં પંજાબ કિંગ્સની સફર સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે, અને તેની સાથે જ અર્શદીપ માટે પણ આ સિઝનનો અંત આવ્યો છે. સિઝન પૂરી થતાં જ તેણે પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાં એવા ફેરફારો કર્યા છે, જેને જોઈને તેના લાખો ચાહકો અને ક્રિકેટ જગતના નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ઇન્સ્ટાગ્રામ પર મોટું પગલું : અચાનક ગાયબ થઈ ગઈ 200 થી વધુ પોસ્ટ

અર્શદીપ સિંહે રવિવારે મોડી રાત્રે અચાનક જ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એકસાથે 200 થી વધુ પોસ્ટ્સ ડિલીટ કરીને સૌને ચોંકાવી દીધા છે. આટલું જ નહીં, તેણે પોતાના પ્રોફાઇલ પિક્ચર એટલે કે ડીપી (DP) ને પણ હટાવીને બદલી નાખ્યું છે. સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે કોઈ સેલિબ્રિટી આટલી મોટી સંખ્યામાં પોતાની જૂની યાદો અને તસવીરો ડિલીટ કરે છે, ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું બજાર ગરમ થઈ જવું સ્વાભાવિક છે. ક્રિકેટ ચાહકો હવે ટ્વિટર (X) અને ઇન્સ્ટાગ્રામ પર અર્શદીપના આ અણધાર્યા પગલા પાછળનું સાચું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

RR ના કેપ્ટને સૂર્યવંશી સાથે કેમ ફોટો પડાવવાની પાડી ના?: શું હાઇ-પ્રેશર મેચ પહેલા રિયાન અને વૈભવ વચ્ચે થઈ મોટી તકરાર?

ખાસ પોસ્ટ પણ થઈ ગાયબ : વિરાટ કોહલી સાથેની વાયરલ રીલ ડિલીટ

અર્શદીપે જે પોસ્ટ્સ પોતાના એકાઉન્ટ પરથી હટાવી છે, તેમાં માત્ર સામાન્ય ફોટા જ નહોતા, પરંતુ કેટલીક ખૂબ જ લોકપ્રિય અને ઐતિહાસિક પોસ્ટ્સ પણ સામેલ હતી. તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી સાથે બનાવેલી એક ખાસ રીલ પણ ડિલીટ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ રીલ સોશિયલ મીડિયા પર સુપરહિટ રહી હતી અને તેના પર અંદાજે 150 મિલિયન (15 કરોડ) કરતાં પણ વધુ વ્યુઝ આવ્યા હતા. આ સિવાય તેની IPL ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ (PBKS) સાથે જોડાયેલી પણ અસંખ્ય તસવીરો હવે ગાયબ થઈ ગઈ છે અને હવે તેના એકાઉન્ટ પર માત્ર 40 જેટલી જ પોસ્ટ્સ બચી છે.

પોસ્ટ ડિલીટ કરવાનું રહસ્ય : પર્સનલ લાઇફ કે પછી કોઈ મોટો પ્લાન?

ડાબોડી ફાસ્ટ બોલરે 25 મેની રાત્રે આ મોટો ફેરફાર કર્યો હતો, પરંતુ આ પાછળનું અસલી કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અર્શદીપ સિંહ કે તેની પીઆર (PR) ટીમ તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્પષ્ટતા સામે આવી નથી, જેના કારણે આખો મામલો એક મોટું સસ્પેન્સ બની ગયો છે. ચાહકોમાં બે પ્રકારની અટકળો ચાલી રહી છે - કેટલાક લોકોનું માનવું છે કે, આ તેનો કોઈ પર્સનલ ડિજિટલ ડિટોક્સ (Digital Detox) નો મામલો હોઈ શકે છે, જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે, કદાચ કોઈ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અથવા આગામી સમયમાં નવી IPL ટીમમાં જોડાવા માટેનો આ કોઈ નવો માર્કેટિંગ સ્ટંટ હોઈ શકે છે.

એક ખેલાડીને ખરીદવા દરેક ટીમોએ લગાવી હતી બોલી!: IPL ઓક્શનનો એ અનોખો રેકોર્ડ જે કદાચ ક્યારેય નહીં તૂટે

IPL 2026 માં ખરાબ પ્રદર્શન : ટ્રોલીંગથી બચવાનો પ્રયાસ?

જો આઇપીએલ 2026 માં અર્શદીપ સિંહના ઓવરઓલ પ્રદર્શન પર નજર કરીએ તો આ સિઝન તેના અને તેની ટીમ પંજાબ કિંગ્સ માટે ખૂબ જ નિરાશાજનક રહી હતી. તેણે રમેલી 14 મેચોમાં 10.21 ની અત્યંત મોંઘી ઇકોનોમી રેટ સાથે 541 રન આપીને માત્ર 14 વિકેટ ઝડપી હતી. આ સિઝનમાં અર્શદીપ એટલો મોંઘો સાબિત થયો હતો કે, તેણે બોલિંગમાં આપેલા રન, પંજાબ કિંગ્સ તરફથી બેટિંગમાં સૌથી વધુ રન બનાવનાર પ્રભસિમરન સિંહના કુલ રન કરતાં પણ વધારે હતા. આ ખરાબ પ્રદર્શન અને આઇપીએલ દરમિયાન તેની ગર્લફ્રેન્ડને લઈને થયેલી ચર્ચાઓને કારણે તે સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો હતો, જે કદાચ પોસ્ટ ડિલીટ કરવાનું એક મોટું કારણ હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now