આજે સમગ્ર દેશ ગણતંત્રની દિવસની ઉજવણી કરી રહ્યો છે. દિલ્લીમાં કર્તવ્ય પથ આકર્ષણનું કેન્દ્ર હોય છે. પરંતુ એ સિવાય પણ લોકો પોતાના શહેરમાં અને પોતાની ઓફિસિસમાં ઉજવણી કરતા હોય છે. તેવામાં આજે ગણતંત્ર દિવસના પર્વ પર જાણીતા એક્ટર આમીર ખાને ગુજરાત સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર પટેલના સ્ટેચ્યૂને નમન કરી તેમણે ગણતંત્ર દિવસની ઉજવણી કરી.
આમીર ખાને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહી સલામી આપી
સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પીને બે હાથ જોડીને નમન કર્યું
આમીર ખાને SOUની મુલાકાત લીધી અને સરદાર પટેલની ઝાંખીઓ પણ નિહાળી
આમીર ખાન સફેદ કુર્તામાં જોવા મળ્યા અને ગણતંત્ર દિવસના પર્વ પર ત્રિરંગાનો બેજ પણ લગાવ્યો




















