રાજકોટથી એક સગીરા સહિત બે યુવતીને નોકરીની લાલચે અમદાવાદ લાવી દેહવેપારમાં ધકેલવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી અને તેની મિત્રને અમદાવાદ લવાઈ હતી. ત્યારબાદ નિકોલની પી.વી.આર હોટલ ખાતે ગેરકાયદેસર ગોંધી રાખી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને જાણ કરતા પોલીસે રેડ પાડી
24 વર્ષીય યુવતીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસે રેડ કરી હતી. અત્રે જણાવીએ કે, રાજદીપસિંહ જાડેજા, માહી ઓળખે મમતા પટેલ, બ્રીજરાજસિંહ ચૌહાણ, લાલા અને સોનલ તેમજ મહેશ સામે ફરિયાદ નોંધાઈ છે.






