Bhavnagar Crime News : ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ફોરેસ્ટ કોલોનીમાં વન વિભાગના અધિકારી શૈલેષ ખાંભલા દ્વારા એક ભયાનક ગુનાહિત કૃત્યું કરવામાં આવ્યું હતું. શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. જે મામલે કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે.
નાર્કોટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરી
આરોપી શૈલેષ ખાંભલાને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ પૂર્ણ થતા જ તેને જેલ હવાલે કરાયો છે. આ મામલે પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે અને નાર્કોટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી છે.
નાર્કોટેસ્ટ માટે આરોપી મંજૂરી ના આપી!
કોર્ટમાં નોંધાયું કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર, નાર્કોટેસ્ટ માટે આરોપીની પૂર્વ મંજૂરી જરૂરી છે. શૈલેષ ખાંભલાએ નાર્કોટેસ્ટ કરવા પર હાંસલ ના કરી, જેથી કોર્ટે બુધવારે સુધીનો સમય મંજુર કર્યો છે. પોલીસ બુધવારે ફરીથી કોર્ટમાં રજૂ થઈને નાર્કોટેસ્ટ માટેની માંગ કરશે. આ બનાવ સમગ્ર શહેરમાં ચકચાર સર્જી દીધો છે. આ સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ અને હકીકત અંગે વધુ તપાસ હાથધરી છે






