Arvind Kejariwal News: આમ આદમી પાર્ટી (AAP) હવે બિહાર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે અમદાવાદમાં યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, “AAP હવે પોતાના દમ પર ચૂંટણી લડશે. કોઈ પણ પાર્ટી સાથે હવે કોઈ ગઠબંધન નથી.”
તેમણે સ્પષ્ટ કહ્યું કે ઇન્ડિયા બ્લોક ફક્ત લોકસભા ચૂંટણી માટે જ હતો અને હવે આમ આદમી પાર્ટી તમામ રાજ્યોમાં પોતાનો separately માર્ગ પસંદ કરશે. કેજરીવાલે જણાવ્યું કે, "અમે બિહાર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર રીતે ઉતરીશું અને લોકોના સમર્થનથી નવા વિકલ્પ રૂપે ઊભા રહીશું."
કોંગ્રેસથી દૂર અને ગુજરાતમાં વિસ્તરણ:
આમ આદમી પાર્ટીનો ઝુકાવ હવે સંપૂર્ણ રીતે અલગ રાજકીય લાઈન તરફ છે. કોંગ્રેસ સાથેના સંબંધો પર સ્પષ્ટતા કરતા કેજરીવાલે કહ્યું, "કૉંગ્રેસ સાથે હવે અમારું કોઈ પણ ગઠબંધન નથી. વિસાવદર પેટાચૂંટણીમાં અમે પોતે અલગ લડી અને ત્રણ ગણા મતોથી જીત મેળવી." તેમણે વધુમાં કહ્યું કે, "ગુજરાતમાં પણ AAP પોતાનું મજબૂત જૂથ ઉભું કરી રહી છે અને આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સક્રિય ભાગ લેશે. અમારી લડત લોકકલ્યાણ અને પારદર્શક રાજકારણ માટે છે."
દિલ્હીમાં હાર અને પંજાબમાં વિશ્વાસ:
દિલ્લીની ચૂંટણીમાં હાર અંગે કેજરીવાલે કહ્યું કે, “ઉતાર-ચઢાવ રાજકારણનો ભાગ છે. અમે લોકોની સેવામાં સતત કાર્યરત છીએ. પંજાબમાં ફરી અમારી સરકાર બનશે અને ત્યાંના લોકો વિકાસના માર્ગ પર સાથે છે.”
આમ આદમી પાર્ટી હવે નવી રાજકીય દિશા તરફ આગળ વધી રહી છે. બિહાર જેવી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં પોતાનો આધાર વિસ્તારવા માટે AAP સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરશે. કેજરીવાલના નિવેદન મુજબ હવે કોઈ ગઠબંધન નહીં હોય, અને પાર્ટી પોતાનું વૈકલ્પિક રાજકીય મોડેલ રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા તૈયાર છે.




















