મહેસાણાના વિજાપુરમાં મકાનની દીવાલ તુટી પડતા 3 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 3 નાં મોત થયા છે જ્યારે 4 થી વધુ શ્રમિકોને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.દિવાલ ધરાશાયી થતાં આજુ-બાજુમાં રહેતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. વધારે માહિતી અપડેટ કરી રહ્યા છીએ.





