Home Gujarat 173 Passengers From Gandhinagar Travel To Jk Everyone Is Safe Will Be Back Soon

ગાંધીનગરના 173 મુસાફરો J&Kના પ્રવાસે : તમામ સુરક્ષિત, જલ્દી જ પરત ફરશે

ગાંધીનગરના 173 મુસાફરો J&Kના પ્રવાસે
Published by: OBS Bureau
Last Updated: Apr 24, 2025, 02:00 PM IST

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં કુલ 28 લોકોના મૃત્યુના સમાચાર છે. મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ ગુજરાતી મુસાફરોનો પણ સમાવેશ થયો છે. જેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એક સહિત કુલ 3 લોકોના મૃત્યુ થયા છે.

જોકે હજુ પણ જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના અનેક મુસાફરો છે. અને હવે ધીમે ધીમે મુસાફરો પરત પોતાના વતન આવી રહ્યાં છે. તેવામાં સરકાર તરફથી એક યાદી બહાર પાડવામાં આવી છે જેમાં ગાંધીનગર જિલ્લામાંથી કેટલા લોકો હાલ જમ્મુ કાશ્મીરમાં છે તેની યાદી આવી છે.


દહેગામ, ગાંધીનગર અને કલોલ તાલુકાના કુલ 173 લોકો જમ્મુ કાશ્મીર ફરવા ગયા છે. જોકે સારી વાત એ છે કે તમામ લોકો સુરક્ષિત છે. તાલુકા પ્રમાણે વાત કરીએ તો

કલોલ તાલુકાના 107 લોકો
દહેગામ તાલુકાના 52 લોકો અને
ગાંધીનગર તાલુકાના 14 લોકો

આ યાદીમાં સંપર્ક કરેલા વ્યક્તિનું નામ સાથે જ તેઓ હાલ ક્યાં છે, કઈ સ્થિતિમાં છે તે પણ રિમાર્ક્સમાં દર્શાવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે 173 લોકો ટૂંક સમયમાં ગુજરાત પરત ફરશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now