15 ઓગસ્ટ 2020ના રોજ, આખો દેશ સ્વતંત્રતાના જશ્નમાં ડૂબી ગયો હતો, પછી કંઈક એવું બન્યું જેણે ક્રિકેટ ચાહકોના દિલને તોડી નાખ્યા. ભારત માટે ત્રણ ICC ખિતાબ જીતનારા મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
ધોની અને રૈનાની નિવૃત્તિના પાંચ વર્ષ પૂર્ણ
ધોની અને રૈના સ્વતંત્રતા દિવસની ઉજવણી થોડી નિસ્તેજ બની ગઈ હતી. ક્રિકેટ ચાહકો આજે પણ આ દિવસ ભૂલી શકતા નથી. 2011માં છગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ આજે પણ ક્રિકેટ ચાહકો ધોનીને યાદ કરે છે.
રૈનાએ પણ લીધી નિવૃત્તિ
ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 98 T20 મેચ રમી છે. તેણે 37.60ની સરેરાશથી 1617 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે અડધી સદી ફટકારી હતી. જે દિવસે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, તે જ દિવસે તેના મિત્ર સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું.
ધોની-રૈનાની સફળ જોડી
ધોની અને રૈનાએ ટીમ ઈન્ડિયાને ઘણી વાર યાદગાર જીત અપાવી. બંને ખેલાડીઓ લાંબા સમય સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સાથે રમ્યા. રૈનાએ ટીમ ઈન્ડિયા માટે 18 ટેસ્ટ, 226 વનડે અને 78 T20 મેચ રમી. આ ડાબા હાથના બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં એક સદી સહિત 768 રન, વનડેમાં પાંચ સદી સહિત 5,615 રન અને T20માં એક સદી સહિત 1,604 રન બનાવ્યા.





















