ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા વાંકલ ગામમાં આ વર્ષે મહાશિવરાત્રી પર્વની ભવ્ય શરૂઆત થઈ છે. અહીં 16 ફૂટ ઊંચા રૂદ્રાક્ષ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. તે હવે ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આ શિવલિંગનું નિર્માણ સંત બટુક મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ ચાર વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે.
આ ખાસ શિવલિંગ 36 લાખ રૂદ્રાક્ષથી બનેલું છે. હિંદુ માન્યતાઓ અનુસાર, રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી ઉત્પન્ન થયો હોવાનું માનવામાં આવે છે. તેનો અભિષેક કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેથી રૂદ્રાક્ષથી બનેલા શિવલિંગની પૂજાનું મહત્વ ઘણું વધી જાય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવની આંખમાંથી પડેલા આંસુમાંથી રૂદ્રાક્ષની રચના કરવામાં આવી હતી. રૂદ્રાક્ષને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે અને પૂજામાં તેનું વિશેષ સ્થાન છે. આ જ કારણ છે કે વાંકલ ગામમાં 36 લાખ રૂદ્રાક્ષથી બનેલું આ વિશાળ શિવલિંગ ભક્તિ અને આદરનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
રૂદ્રાક્ષથી બનેલું શિવલિંગ અત્યંત ઉર્જાવાન અને શક્તિશાળી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તેના પર જળ અર્પિત કરવાથી શિવલિંગની પૂજાનું ફળ મળે છે. કુદરતી વાતાવરણમાં સ્થાપિત આ મહાકાય રૂદ્રાક્ષ શિવલિંગના દર્શન કરવા માટે હજારો ભાવિકો વાંકલ ગામે પહોંચી રહ્યા છે. અહીં શિવ કથાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના કારણે ભક્તોને આધ્યાત્મિક આનંદ મળી રહ્યો છે.
તે હવે વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ બની ગયું છે. આ 16 ફૂટ ઊંચા શિવલિંગના નિર્માણમાં 36 લાખ રૂદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ બદલ તેને રેકોર્ડ બુક ઓફ ઈન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયાને વેગ આપવા ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત: ઉમેદવારોને મંજૂરી મેળવવામાં પડશે સરળતા






