Home Gujarat Surat Narayan Sai Divorce 2 Crore Alimony Janaki Harpalani

આસારામના પુત્ર નારાયણ સાંઈના આખરે છૂટાછેડા : પત્ની જાનકી હરપાલાણીને આપવા પડશે આટલા કરોડ રૂપિયા

Narayan Sai Talaq
Published by: Viral Patel
Last Updated: Apr 08, 2026, 01:46 PM IST

Narayan Sai Talaq: ઈન્દોરની ફેમિલી કોર્ટે નારાયણ સાંઈ અને જાનકી દેવીના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે નારાયણ સાંઈએ પત્નીને ભરણપોષણ (એલ્યુમની) પેટે ₹2 કરોડ ચૂકવવા પડશે. વર્ષ 2008માં લગ્ન થયા બાદ બંને 2013થી અલગ રહેતા હતા. પત્નીએ તરછોડાયા હોવાના અને નારાયણ સાંઈના અન્ય સંબંધો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત, કલમ 125 હેઠળ દર મહિને ₹50 હજારનું ભરણપોષણ અને આશરે ₹50 લાખની બાકી નીકળતી રકમની વસૂલાતની પ્રક્રિયા પણ ચાલુ છે. આ કેસમાં હવે હાઈકોર્ટમાં જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

8 વર્ષ બાદ આવ્યો ચુકાદો

મધ્યપ્રદેશના ઈન્દોર સ્થિત ફેમિલી કોર્ટે લાંબા સમયથી ચાલી રહેલા વૈવાહિક વિવાદમાં મહત્વનો નિર્ણય સંભળાવતા સ્વયંભૂ ધર્મગુરુ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી હરપાલાણીના લગ્નનો અંત લાવ્યો છે. કોર્ટે છૂટાછેડાની અરજી મંજૂર કરતા નારાયણ સાંઈને પત્નીને કાયમી ભરણપોષણ તરીકે ₹2 કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈ હાલમાં દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થયા બાદ સુરત જેલમાં સજા કાપી રહ્યો છે. માહિતી મુજબ, આ કેસ છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ હતો. તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ થયા બાદ 2 એપ્રિલે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો, જેની જાણકારી બાદમાં જાનકીના વકીલ અનુરાગ ગોયલે આપી હતી.

આ પણ વાંચો: અગાઉ મોદીજીને કહ્યાં હતા '100 માથાવાળા રાવણ' : હવે એ જ ખડગે રાહુલની મોહબ્બતની દુકાનમાં વેચાતું નફરતનું ઝેર પી ગયા..!

પત્નીએ લગાવ્યા હતા ગંભીર આરોપો

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, બંનેના લગ્ન વર્ષ 2008માં થયા હતા, પરંતુ 2013થી જ તેઓ અલગ રહેતા હતા. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો અને તેને તરછોડાયેલું જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવી. હાલમાં તે તેની માતા સાથે રહી રહી છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નારાયણ સાંઈના અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા અને તેની સામે દુષ્કર્મ કેસમાં થયેલી સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: "ભાજપને કોંગ્રેસ કે AAPથી કોઈ ડર નથી, ભાજપને ભાજપ જ હરાવશે" : ચૂંટણી પહેલાં સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હડકંપ

₹5 કરોડની માંગ સામે ₹2 કરોડ મંજૂર

પત્ની દ્વારા ભરણપોષણ પેટે ₹5 કરોડની માંગણી કરવામાં આવી હતી, જોકે કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાને રાખીને ₹2 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. વકીલ અનુરાગ ગોયલના જણાવ્યા અનુસાર, કોર્ટે અગાઉ દર મહિને ₹50 હજાર ભરણપોષણ તરીકે આપવાનો આદેશ કર્યો હતો, પરંતુ તેનું નિયમિત ચુકવણું થયું નહોતું. આ કારણે આશરે ₹50 લાખની બાકી રકમ જમા થઈ ગઈ છે, જેની વસૂલાતની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવી શકે છે. સાથે જ મિલકતોની ચકાસણીને લગતી સંપૂર્ણ માહિતી હજુ સુધી રજૂ કરવામાં ન આવી હોવાથી આગળ પણ વિવાદની સ્થિતિ બની રહે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now