Ramayana in Pakistan: પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાચી શહેરમાં રામાયણનું મંચન કરીને એક પાકિસ્તાની નાટક જૂથ હેડલાઇન્સમાં છે. સપ્તાહના અંતે કરાચી આર્ટ્સ કાઉન્સિલમાં રામાયણનું મંચન કરનાર નાટક જૂથ 'મૌજ' ને AI નો ઉપયોગ કરીને મહાકાવ્યને જીવંત કરવાના તેમના પ્રયાસો બદલ પ્રશંસા મળી છે.
દિગ્દર્શક યોહેશ્વર કરેરાએ કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે લોકો તેમને નાપસંદ કરશે અથવા 'રામાયણ'નું મંચન કરીને તેમને કોઈપણ પ્રકારની ધમકીઓનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું, "મારા માટે, રામાયણને સ્ટેજ પર જીવંત કરવું એ એક અદ્ભુત દ્રશ્ય અનુભવ છે અને તે દર્શાવે છે કે પાકિસ્તાની સમાજ જેટલો માનવામાં આવે છે તેના કરતાં વધુ સહિષ્ણુ છે."
કરેરાએ વધું માં કહ્યું કે નાટકને સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણા વિવેચકોએ તેના નિર્માણ અને કલાકારોના અભિનયની પ્રશંસા કરી છે. કલા અને ફિલ્મનાં વિવેચક ઓમૈર અલ્વીએ કહ્યું કે તેઓ વાર્તા કહેવાની પ્રામાણિકતા અને શોની ભવ્યતામાં વધારો કરતીલાઇટિંગ, સંગીત, રંગબેરંગી પોશાક અને ભાવનાત્મક ડિઝાઇનથી પ્રભાવિત થયા છે. તેણીએ વધુ માં કહ્યું, "રામાયણ એક એવી વાર્તા છે જે વિશ્વભરના લાખો લોકો સાથે જોડાય છે,"
સીતાનું પાત્ર ભજવનાર નિર્માતા રાણા કાઝમીએ કહ્યું કે તેઓ પ્રાચીન વાર્તાને પ્રેક્ષકો માટે જીવંત અનુભવ તરીકે રજૂ કરવાના વિચારથી રોમાંચિત હતા. વધુ માં તેણીએ કહ્યું, "આ વાર્તા ઉચ્ચ કક્ષાની છે કારણ કે રામાયણ એક એવી વાર્તા છે જે વિશ્વભરના લાખો લોકો સાથે જોડાય છે."





















