Smriti Mandhana-Palash Muchhal's wedding news: ભારતીય ક્રિકેટ સ્ટાર Smriti Mandhana અને સંગીતકાર Palash Muchhal ના લગ્ન ફરી એકવાર સમાચારમાં છે. Smriti Mandhana ના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત અચાનક બગડવાને કારણે 23 નવેમ્બરના રોજ યોજાનાર હાઇ-પ્રોફાઇલ લગ્નને પોસ્ટપોન્ડ કરવામાં આવ્યા હતા, જેમને સાંગલીમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ દરમિયાન Palash Muchhal ને પણ નાની બીમારી થઈ હતી અને તેને પણ દાખલ કરવા પડ્યો હતો. જોકે બંને હવે રજા આપીને ઘરે આવી ગયા છે, પરંતુ ચાહકો નવી લગ્ન તારીખ વિશે ઉત્સુક છે.
Smriti Mandhana ના ભાઈએ મૌન તોડ્યું
મંગળવારે સોશિયલ મીડિયા પર એક નવી તારીખ, 7 ડિસેમ્બર, વાયરલ થવા લાગી. ઘણા યુઝર્સએ તેને "કન્ફર્મ્ડ તારીખ" તરીકે પોસ્ટ કરવાનું શરૂ કર્યું, પરંતુ પરિવાર દ્વારા કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી. હવે, સ્મૃતિના ભાઈ, શ્રવણ મંધાનાએ મીડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું, "મને આ તારીખો વિશે કોઈ ખ્યાલ નથી. લગ્ન હજુ પણ પોસ્ટપોન્ડ જ રાખવામાં આવ્યા છે. નવી તારીખ સંપૂર્ણપણે અફવા છે." આ નિવેદનથી સ્પષ્ટ થયું કે, વાયરલ ડિસેમ્બર તારીખ ફક્ત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.
માતા અમિતા મુછલે આશા વ્યક્ત કરી
પલાશની માતા અમિતા મુછલે પણ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, આ અચાનક બનેલી ઘટનાનો બંને પરિવારો પર ઊંડો પ્રભાવ પડ્યો છે. તેમણે કહ્યું કે, સ્મૃતિ અને પલાશ આખી પરિસ્થિતિથી ખૂબ જ દુઃખી છે. તેમણે આગળ કહ્યું, "સ્મૃતિ અને પલાશ બંને દુઃખી છે... બધું તૈયાર હતું, મેં સ્મૃતિ માટે ખાસ સ્વાગતનું પણ આયોજન કર્યું હતું. જોકે, બધું સારું થઈ જશે, અને લગ્ન ખૂબ જ ટૂંક સમયમાં થશે."
સુનિલ શેટ્ટીએ જેમીમાહના વખાણ કર્યા
Smriti Mandhana ની નજીકની મિત્ર અને ટીમ ઈન્ડિયાની ખેલાડી Jemimah Rodrigues એ પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેને સ્મૃતિ સાથે રહેવા માટે WBBL સીઝનમાંથી નામ પાછું ખેંચી લીધું. બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ જેમીમાહની મિત્રતાના ઉદાહરણની પ્રશંસા કરી. તેમણે X પર લખ્યું કે, તે "સૌથી સાચી મિત્રતા"નું ઉદાહરણ આપે છે. કોઈ મોટા શબ્દો નહીં, ફક્ત શાંત સમર્થન.





















